બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / શું 9 વર્ષ બાદ દયાબેનની થશે વાપસી? જેઠાલાલના નિવેદનથી ચાહકોમાં વધી ઉત્સુકતા
5 ફોટો ગેલેરી
Last Updated: 11:08 PM, 29 July 2026
1/5
ટીવીના સુપરહિત અને આઇકોનિક શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ પોતાના પ્રસારણના 18 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. આ ખાસ અને યાદગાર ક્ષણને ઉજવવા માટે એક ભવ્ય સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં શોની સંપૂર્ણ સ્ટારકાસ્ટ સામેલ થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન દિલીપ જોશીએ શોમાં 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીની વાપસી પર મહત્વપૂર્ણ મંતવ્ય રજૂ કર્યું હતું. આ સાથે જ, 'પોપટલાલ'નું પાત્ર ભજવતા શ્યામ પાઠક પણ સ્ટેજ પર ભાવુક થતા જોવા મળ્યા હતા.
2/5
દિશા વાકાણીએ પોતાના કરિયરના પીક પર વર્ષ 2017 માં મેટરનિટી લીવ પર ગયા બાદ આ શો છોડ્યો હતો. ત્યારબાદ ઘર-પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જવાના કારણે તેમણે ફરીથી શોમાં એન્ટ્રી કરી ન હતી. આજ સુધી એટલે કે 9 વર્ષ પછી પણ દર્શકો શોમાં દયાબેનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સક્સેસ પાર્ટી દરમિયાન મીડિયા સાથે વાત કરતા 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, લગભગ 10 વર્ષ સુધી દિશાજી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા. લોકો જાણે જ છે કે અમે બંનેએ સાથે મળીને કેટલા શાનદાર સીન્સ કર્યા છે. અમારી જે કેમિસ્ટ્રી હતી અને જે ઘરના સીન્સ હતા, તેને અમે ખૂબ મિસ કરીએ છીએ.
3/5
દિલીપ જોશીએ વધુમાં ઉમેર્યું કે, તાજેતરમાં અસિત ભાઈ પણ મને કહી રહ્યા હતા કે તેઓ ઘરના એ સીન્સ મિસ કરી રહ્યા છે. તેમના મગજમાં એવા સીન્સ છે, પરંતુ તેઓ સ્ક્રીપ્ટમાં લાવી શકતા નથી. દિશાજીએ જે સ્તરનું કામ કર્યું છે, તેને હું તો મિસ કરું જ છું. હવે હું આશા રાખું છું કે કોઈ ચમત્કાર થાય અને તેઓ શોમાં પાછા આવી જાય."
4/5
શોના 18 વર્ષ પૂરા થવાની ખુશીમાં આયોજિત આ કાર્યક્રમમાં 'પોપટલાલ'નું પાત્ર ભજવતા શ્યામ પાઠક અત્યંત ઇમોશનલ થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. શ્યામ પાઠકની પ્રશંસા કરતા શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, "તેમણે દવાઓ લઈ-લઈને પણ શોનું શૂટિંગ કર્યું છે. તેઓ ઓછું બોલે છે, પરંતુ મારા દિલમાં તેમના માટે ખૂબ જ માન અને ઈજ્જત છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ