બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ! જાણો ક્યાં લેવાયો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય

મહારાષ્ટ્ર / રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ! જાણો ક્યાં લેવાયો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 10:07 AM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra School Junk Food Ban : રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય

Maharashtra School Junk Food Ban : બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પૌષ્ટિક આહારની ટેવ વિકસે તે હેતુથી મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યની તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો મુજબ હવે શાળાના કેમ્પસ તેમજ શાળાના પ્રવેશદ્વારથી 50 મીટરની અંદર જંક ફૂડનું વેચાણ, જાહેરાત અથવા મફત વિતરણ કરી શકાશે નહીં. આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, અનુદાનિત, ખાનગી, નિવાલી તેમજ CBSE, ICSE અને અન્ય શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે.

કેન્ટીન માટે પણ કડક નિયમો

નવી માર્ગદર્શિકા મુજબ શાળાની કેન્ટીન, ટક શોપ, મધ્યાહન ભોજન કેન્દ્ર, હોસ્ટેલ રસોડાં તેમજ ખાદ્ય સામગ્રી પૂરી પાડતા તમામ સપ્લાયરો માટે FSSAIનું માન્ય લાઇસન્સ અથવા નોંધણી ફરજિયાત રહેશે. આ ઉપરાંત દરેક શાળામાં ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ લગાવવું, ફૂડ સેફ્ટી સુપરવાઇઝરની નિમણૂક કરવી અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર નિયુક્ત કરવો પણ જરૂરી બનશે.

દર વર્ષે થશે ખાદ્ય સુરક્ષાની તપાસ

વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે દરેક શાળામાં દર વર્ષે ઓછામાં ઓછા બે વખત ખાદ્ય સુરક્ષાની તપાસ કરવામાં આવશે. ઉપરાંત વર્ષમાં એક વખત ખાદ્ય સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરાશે જેથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર સતત નજર રાખી શકાય.

નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

FDAએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શાળા, કેન્ટીન સંચાલક અથવા વેચાણકર્તા આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે સુધારણા નોટિસ આપવાથી લઈને લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : સાંસદ પપ્પુ યાદવને ધમકીભર્યો સંદેશ! પરિવારને બોમ્બથી ઉડાવવાની ધમકીથી મચ્યો ખળભળાટ

સ્વસ્થ બાળપણ તરફ મહત્વપૂર્ણ પગલું

અન્ન સુરક્ષા આયુક્ત તુકારામ મુઢેએ જણાવ્યું કે દરેક બાળકને સુરક્ષિત અને પૌષ્ટિક આહાર મળવો એ તેનો મૂળભૂત અધિકાર છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સ્વસ્થ ખોરાક ખૂબ જ જરૂરી છે. તેમણે શાળા સંચાલન, શિક્ષણ વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, વાલીઓ અને સમાજને આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ચાલી રહેલા જનજાગૃતિ અભિયાન હેઠળ અત્યાર સુધી 42 કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળાઓ દ્વારા 3,567 શાળાઓના કુલ 4,199 શિક્ષકોને અન્ન સુરક્ષા, સ્વચ્છતા અને સંતુલિત આહાર અંગે તાલીમ આપવામાં આવી છે. સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આરોગ્યપ્રદ ખાણીપીણીની ટેવ વિકસાવવાનો અને રાજ્યની દરેક શાળાને 'ઈટ રાઈટ સ્કૂલ' તરીકે વિકસાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢી વધુ તંદુરસ્ત અને સ્વસ્થ બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FDA Maharashtra Maharashtra School Junk Food Ban School Canteen Rules

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ