બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:16 PM, 11 December 2024
અતુલ સુભાષ આત્મહત્યા કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ બાબતને લઈને ઘણા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. અતુલના મોતની વચ્ચે અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરનાર આયેશાની યાદી આવી ગઈ છે. અતુલ અને આયેશા મોત કેસમાં સામ્યતા એ છે કે બન્નેએ મોત પહેલા વીડિયો બનાવીને યાતના વર્ણવી હતી.
ADVERTISEMENT
बहन आयशा अपने शौहर से तंग थी।
— Momin Ibn Khan (@Momin_Ibn_Khan) December 10, 2024
भाई अतुल अपनी बीवी से तंग थे।
दोनों ने सुसाइड की वजह वीडियो रिकॉर्ड करके बता दी।
आयशा ने तो एक ऐसी बात बोली जिसने रोंगटे खड़े कर दिए थे कि 👇
“अल्लाह से शिकायत करूंगी कि या अल्लाह फिर से इंसान की शक्ल ही मत दिखाना।” 😭
#JusticeForAtulSubhash pic.twitter.com/FyhjgF1dAt
2021ના કેસની યાદ તાજી થઈ
ADVERTISEMENT
25 ફેબ્રુઆરી 2021ના રોજ આયેશાએ નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેણે એક વીડિયો બનાવીને તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો વર્ષ 2021માં બનેલા આયેશા સુસાઈડ કેસને પણ યાદ કરી રહ્યા છે. આયેશાએ 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક વીડિયો બનાવીને તેના પતિ આરિફને મોકલ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આયેશા મૂળ રાજસ્થાનની હતી અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી હતી. નદીમાં કૂદતા પહેલા તેણીએ કહ્યું હતું કે, 'હું પ્રાર્થના કરું છું કે આ સુંદર નદી તેના વહેણ સાથે મને ભેટી પડે. આયેશાના મૃત્યુ બાદ ખબર પડી કે આ દહેજ ઉત્પીડનનો મામલો છે. આયેશાના લગ્ન રાજસ્થાનના આરિફ સાથે 2018માં થયા હતા, પરંતુ લગ્ન બાદથી તેને દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હતો.
અતુલ સુભાષે કેમ કરી આત્મહત્યા?
ADVERTISEMENT
મૂળ યુપીના જોનપુરના રહેવાશી એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની લાશ બેંગ્લુરુના મંજૂનાથ લેઆઉટમાં તેમના ફ્લેટમાંથી મળી આવી હતી. તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેમણે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને દોઢ કલાકનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો તેમાં પત્ની, સાસુ, સાળા પર ભારે માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂક્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.