બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શ્રાવણથી કારતક સુધી શનિ રહેશે વક્રી, આ 4 રાશિઓના ભાગ્યના દ્વાર ખુલી જશે
6 ફોટો ગેલેરી
Last Updated: 09:08 PM, 13 July 2026
1/6
આગામી 27 જુલાઈના રોજ શનિ પોતાનો માર્ગ બદલશે. આ દિવસે શનિ મીન રાશિમાં વક્રી થશે. શનિ 11 ડિસેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે એટલે કે તે ચાતુર્માસ દરમિયાન વક્રી ગતિ કરતો રહેશે. ચાતુર્માસ 25 જુલાઈથી 20 નવેમ્બર સુધી રહેશે. જ્યોતિષીઓ અનુસાર શ્રાવણથી કારતક સુધી શનિની વક્રી ગતિ 4 રાશિઓ માટે શુભ સાબિત થશે.
2/6
આ સમય તમારા માટે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે માનવામાં આવે છે. નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિના મોકા ઊભા થઈ શકે છે. લાંબા સમયથી અટવાએલા કામમાં ફરી ગતિ આવી શકે છે. તમને પરિવાર અને મિત્રો તરફથી સહયોગ મળશે. નકારાત્મક વિચાર ધરાવતા લોકોથી અંતર જાળવવું. તમારો શુભ રંગ ક્રીમ રહેશે. અને ઉઓઆય તરીકે દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
3/6
સૂર્ય અને બુધની અનુકૂળ સ્થિતિ તમારા માટે આખા મહિના દરમિયાન આત્મવિશ્વાસ વધારશે. કેરિયરમાં ઉન્નતિના મોકા મળશે. આવકના નવા સ્ત્રોતો બનશે. કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત થઈ શકે છે. જોકે અતિશય આત્મવિશ્વાસ અને ઉતાવળ ટાળવી જરૂરી છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે આ સમય અનુકૂળ રહેશે. તમારો શુભ રંગ આછો લીલો રહેશે અને ઉપાય તરીકે દરરોજ ભગવાન ગણેશની આરતી કરો.
4/6
તમારા માટે લાંબા સમયથી અટવાએલા કાર્યો પૂરા થશે. આ માનસિક તણાવ ઘટાડી શકે છે અને કરિયરમાં નવા મોકા શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ ગુસ્સા અને બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું બેસ્ટ છે . પારિવારિક સહયોગ ચાલુ રહેશે. જો તમે કોઈપણ બીમારીની સારવાર લઈ રહ્યા હોવ તો નિયમિત દવા લો અને તમારા ડૉક્ટરની સલાહનું પાલન કરો. તમારો શુભ રંગ આછો લાલ રહેશે અને ઉપાય તરીકે દરરોજ ભગવાન સૂર્યને પ્રાર્થના કરો.
5/6
તમારા માટે જુલાઈ કરિયર અને આર્થિક બાબતોમાં સકારાત્મક ફેરફારો લાવશે. નોકરી અને વ્યવસાયમાં નવા મોકા મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને કોઈ મુસાફરીએ જઈ શકો છો. સખત મહેનત અને શિસ્ત સકારાત્મક પરિણામો આપશે.. તમારા સ્વાસ્થ્યને અવોઇડ ન કરો. તમારો શુભ રંગ પીળો રહેશે. ઉપાય તરીકે ગરીબોને દાન કરો.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ