બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 39 લોકોના મોત, 10 લાખનું વળતર અને તપાસના આદેશ, જાણો કરુર નાસભાગ કેસમાં અત્યાર સુધી શું-શું થયું?
Last Updated: 09:25 AM, 28 September 2025
તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં થયેલી ભાગદોડથી સમગ્ર દેશ હચમચી ગયો છે. 39 લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. ચેન્નાઈથી માત્ર ૪૦૦ કિલોમીટર દૂર કરુરમાં બનેલી આ ઘટના પ્રશ્નોથી ઘેરાયેલી છે.
ADVERTISEMENT
કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
17 મહિલાઓ સહિત 39 લોકોએ જીવ ગુમાવ્યા, 50 થી વધુ લોકો ઘાયલ થયા
ADVERTISEMENT
ભાગદોડનું કારણ શું છે?
કરુર મેદાન જ્યાં અભિનેતા વિજયની રેલી યોજાઈ હતી તેની ક્ષમતા 10 હજાર લોકોની છે, પરંતુ 30 હજાર લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા
ADVERTISEMENT
#WATCH तमिलनाडु: करूर में TVK (तमिलनाडु वेत्री कझगम) प्रमुख और अभिनेता विजय के प्रचार अभियान में बड़ी संख्या में लोग शामिल हुए।
— ANI_HindiNews (@AHindinews) September 27, 2025
यहां भगदड़ जैसी स्थिति होने की खबर है। कई लोग बेहोश हो गए और उन्हें पास के अस्पताल ले जाया गया। अधिक जानकारी की प्रतीक्षा है।
(सोर्स: TVK/यूट्यूब) pic.twitter.com/un8k62G2F0
તમિલનાડુના ડીજીપી ઇન્ચાર્જ જી. વેંકટરમણના જણાવ્યા અનુસાર
ADVERTISEMENT
ભીડ કેવી રીતે વધી?
કરુરમાં અભિનેતા વિજયની રેલીનો સમય બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો હતો. સવારે ૧૧ વાગ્યાથી જ લોકો મેદાન પર ભેગા થવા લાગ્યા હતા. વિજય રેલીમાં મોડા પહોંચ્યા, અને ત્યાં સુધીમાં ભીડ ઘણી વધી ગઈ હતી. વિજય સાંજે ૭:૪૦ વાગ્યાની આસપાસ મેદાન પર પહોંચ્યા. લોકો કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા વિજયની રાહ જોતા હતા, અને તેમને જોવાથી ભીડ બેકાબૂ બની ગઈ.
ADVERTISEMENT
ભાગદોડ પહેલા શું થયું હતું?
ગ્રાઉન્ડમાં ભીડ વધતી જતી હોવાથી વિજય અસ્વસ્થતા અનુભવવા લાગ્યો, અને તેણે પોતાનું ભાષણ અટકાવ્યું. લોકોને મદદ કરવા માટે, વિજયે ભીડ પર પાણીની બોટલો ફેંકવાનું શરૂ કર્યું, જેનો એક વીડિયો સામે આવ્યો છે. ઘટનાસ્થળે ભાગદોડ શરૂ થઈ ગઈ, અને થોડા જ સમયમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ.
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો
તમિલનાડુ પોલીસે ભાગદોડની તપાસ માટે એક કમિશનની રચના કરી છે. ગૃહ મંત્રાલયે તમિલનાડુ સરકાર પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે. અભિનેતા વિજય અને તેમના પક્ષના સભ્યોની પણ આ મામલે પૂછપરછ થઈ શકે છે.
મુખ્યમંત્રી સ્ટાલિને તપાસના આદેશ આપ્યા
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે આ મામલાની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ અરુણા જગદીશનના નેતૃત્વમાં પેનલની રચના કરી છે.
મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ₹10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલો, જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, તેમને પ્રત્યેકને ₹1 લાખનું વળતર મળશે
આ પણ વાંચોઃ 'રાજ્યના સમગ્ર ઇતિહાસમાં ક્યારેય...', કરુરમાં થયેલી નાસભાગ પર બોલ્યા CM સ્ટાલિન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.