બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / war Indians should avoid going Iran Israel Ministry External Affairs has issued advisory
Last Updated: 09:06 PM, 12 April 2024
સીરિયાની રાજધાની દમાસ્કસમાં 1 એપ્રિલે તેના કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. પરંતુ તે આ ક્યારે અને કેવી રીતે કરશે? તે નિર્ણય પોતાના હિસાબે કરશે. મધ્ય પૂર્વમાં વધેલા તણાવ વચ્ચે ભારતે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ બંને દેશોની યાત્રા ન કરવા જણાવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું, "ઈરાન અથવા ઈઝરાયેલમાં રહેતા ભારતીયોએ તરત જ ત્યાંના દૂતાવાસોનો સંપર્ક કરવો જોઈએ. પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ અને બને તેટલું ઓછું બહાર જવું જોઈએ."
ADVERTISEMENT
ભારતે આ એડવાઈઝરી અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ બાદ આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલએ અમેરિકન ઈન્ટેલિજન્સનો હવાલો આપતા પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઈરાન આગામી બે દિવસમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઘણા ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાન ઈઝરાયેલ પર પરમાણુ હુમલો કરી શકે છે.
ADVERTISEMENT
1 એપ્રિલે ઈઝરાયેલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને કહ્યું હતું કે ઈઝરાયેલ પાસેથી બદલો લેવામાં આવશે. સીરિયાની રાજધાની દમાસ્કસમાં 1 એપ્રિલે તેના કોન્સ્યુલેટ પર થયેલા હુમલા બાદ ઈરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ માટે ઈઝરાયેલને જડબાતોડ જવાબ આપશે. પરંતુ તે આ ક્યારે અને કેવી રીતે કરશે? તે પોતાની અનુકૂળતા મુજબ આનો નિર્ણય કરશે. દમાસ્કસ હુમલામાં ત્રણ વરિષ્ઠ લશ્કરી કમાન્ડર સહિત સાત ઈરાની નાગરિકો માર્યા ગયા હતા. તેમાંથી, મોહમ્મદ રેઝા ઝાહેદી, જે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ગ્રાઉન્ડ અને એર ફોર્સના ભૂતપૂર્વ કમાન્ડર હતા, તેમનું પણ મૃત્યુ થયું હતું. તે સીરિયા અને લેબનોનમાં ઈરાનના પ્રોક્સીઓ સાથે સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો.
ADVERTISEMENT
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એ જરૂરી નથી કે હુમલો ઈઝરાયેલની ઉત્તરી બાજુથી એટલે કે લેબનોનથી કરવામાં આવે, જ્યાંથી ઈરાનની પ્રોક્સી હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર સતત હુમલો કરી રહી છે. આ બીજી બાજુથી પણ થઈ શકે છે. હુમલામાં લક્ષ્ય પર સીધા જ પ્રહાર કરતી મિસાઇલનો ઉપયોગ કરી શકાય છે અથવા એક સાથે અનેક ડ્રોન છોડવામાં આવી શકે છે.આ આશંકાને ધ્યાનમાં રાખીને ભારતે આ બંને દેશોમાં રહેતા અથવા ત્યાં જવાનો વિચાર કરતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આ એડવાઈઝરીથી સમજી શકાય છે કે ઈરાન અને ઈઝરાયેલ હવે મામલો ઘણો ઉગ્ર બની ગયો છે.
ADVERTISEMENT
અહીં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સાઉદી અરેબિયા, ચીન, તુર્કી અને ઘણા યુરોપિયન દેશોના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી. બ્લિંકને તમામ દેશોને ઈરાનને હુમલો ન કરવા સમજાવવા કહ્યું છે. ગુરુવારે અમેરિકાએ ઈઝરાયેલમાં કામ કરતા પોતાના નાગરિકો અને ખાસ કરીને રાજદ્વારીઓ માટે એડવાઈઝરી જારી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.