બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Megha
Last Updated: 12:16 PM, 18 March 2024
ઉંદર તો ભગવાન ગણેશનું વાહન છે અને આપણા જ દેશમાં એક મંદિર એવું પણ છે,જ્યાં ઉંદરોની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. આ એક અનોખું મંદિર રાજસ્થાનના બિકાનેરમાં આવેલું છે જેને કરણી માતાનું મંદિર કહેવામાં આવે છે. બિકાનેરથી લગભગ 30 કિ.મી. દૂર દેશનોકમાં આવેલું આ મંદિર મુષક મંદિર તરીકે પણ ઓળખાય છે અને અહીં ઉંદરોને કાબા કહેવામાં આવે છે.
ઉંદરને ભલે ગણપતિની સવારી માનવામાં આવે છે પરંતુ આ વિશ્વનું એકમાત્ર દેવી મંદિર છે. જ્યાં ઉંદરનો અને દેવી એકબીજા સાથે સંલગ્ન છે. અહીં ઉંદરને કરણી માતાના સેવકના સ્વરૂપે પૂજવામાં આવે છે.જ્યારે પણ મંદિરમાં આરતી થાય, ત્યારે અચૂક મંદિરમાં રહેતા તમામ ઉંદરો હાજર થઈ જાય છે.
આ મંદિરમાં દર્શન દરમિયાન ભક્તોને કેટલીક વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે મંદિરમાં પગ ઢસડીને ચાલવાનું હોય છે. કેમ કે પગ ઉપાડવાથી પગ નીચે ઉંદરો આવી જવાનો ડર રહે છે, જેના કારણે તેઓ મરી શકે છે અથવા ઘાયલ થઈ શકે છે. એટલા માટે અહીં ચાલતી વખતે જમીન પરથી પગ ઉપાડવાની મનાઈ છે.
દેશ-દુનિયામાં આ મંદિર ઉંદર મંદિર નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં 20-25 હજારથી વધારે ઉંદર રહે છે અને એમ પણ કહેવામાં આવે છે જે આ ઉંદરની વચ્ચે જો કોઈને પણ સફેદ ઉંદર જોવા મળી જાય છે તો એમની મનોકામના તરત પુરી થઈ જાય છે. સાથે જ એવી પણ માન્યતા છે કે મંદિરમાં માતાને ચઢાવવામાં આવતા પ્રસાદ પર પહેલો અધિકાર ઉંદરોનો હોય છે અને એ બાદ પ્રસાદ લોકોને આપવામાં આવે છે.
વધુ વાંચો: VIDEO: આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!
નવાઈની વાત તો એ છે કે આટલા બધા ઉંદરો હોવા છતાં મંદિરમાં કોઈ દુર્ગંધ નથી આવતી, આજદિન સુધી કોઈ બીમારી ફેલાઈ નથી અને ઉંદરોનો એંઠો પ્રસાદ ખાવાથી કોઈ ભક્ત બીમાર પણ નથી પડ્યો. એટલું જ નહીં એમ પણ કહેવાય છે કે જ્યારે કેટલાક દાયકાઓ પહેલા આખા ભારતમાં પ્લેગ ફેલાયો હતો, ત્યારે પણ આ મંદિરમાં ભક્તોનો મેળો ભરતો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army