બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli out of first T20 against Afghanistan

IND vs AFG / ક્રિકેટ રસિયાઓને ઝટકો: વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની પહેલી T20થી બહાર, કોચ દ્રવિડે જણાવ્યું કેમ

Kishor

Last Updated: 06:31 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સીરિઝ ગુરુવાર, 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જેમાં વિરાટ કોહલી આ મેચમાં રમી શકશે નહીં. તેવી ટીમના કોચ રાહુલ દ્રવિડે જાહેરાત કરી છે.

  • ભારત અને અફઘાનિસ્તાન T20 સીરિઝનો આવતીકાલે ગુરુવારથી પ્રારંભ
  • વિરાટ કોહલી આ મેચમાં રમી શકશે નહીં
  • ટીમના કોચ રાહુલ દ્રવિડે મેચના એક દિવસ પહેલા આ માહિતી આપી

ભારત અને અફગાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી20 સિરિઝ ગુરૂવારે એટલે કે 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ સિરિનો પહેલો મેચ માહોલીમાં રમાશે. આ સિરિઝની સાથે જ ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલી કે જે બંને એક વર્ષથી પણ વધુ સમય બાદ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા માટે પરત ફરી રહ્યાં છે. જોકે ફેન્સને પહેલા ટી20માં રોહિત શર્માને રમતો જોવાનો મોકો મળશે. કારણ કે વિરાટ કોહલી આ મેચ રમી રહ્યાં નથી. ટીમના કોચ રાહુલ દ્રવિડએ મેચના એક દિવસ પહેલા આ જાણકારી આપી છે.

વધુ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીથી નારાજ છે BCCI? દુબઈમાં પાર્ટી કરવાની મળી રહી છે સજા

માહોલીમાં મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફ્રન્સ કરીને ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે વિરાટ કોહલી પોતાના અંતગ કારણોને લઈને પહેલો ટી-20 મેચ રમી શકશે નહીં. જ્યારે તે બીજા અને ત્રીજા ટી20 મેચમાં જોવા મળશે. કોહલીએ નવેમ્બર 2022 બાદથી કોઈ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી. એડિલેડમાં ઈંગ્લેડ વિરૂદ્ધ ટી-20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં કોહલીએ અડધી સદી ફટકારી હતી. જે બાદથી કોહલી આ ફોર્મેટથી દુર હતો.

રોહિત પણ નથી પહોંચ્યો મોહાલી
છેલ્લા 14 મહિનાથી આ ફોર્મેટથી દુર રહેલા કોહલીને ફરી જોવા માટે ટીમ ઈન્ડિયાના ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. જ્યારે કોહલીની જેમ 14 મહિના બાદ આ ફોર્મેટમાં પરત ફરી રહેલા કેપ્ટન રોહિત શર્મા પહેલા મેચથી જ વાપસી કરશે. જો કે રિપોર્ટ અનુસાર રોહિત મેચ એક દિવસ પહેલા સુધી તે મોહોલી પહોંચ્યો નથી.. તે ટીમની સામે મોહાલી નથી આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં ચાર્ટર્ડ પ્લેનથી માહોલી પહોંચી શકે છે.. 

ઓપનિંગ પર દ્રવિડનો ખુલાસો
કોચ દ્રવિડે પ્લેઈંગ ઈલેવનને લઈને તો કોઈ ખાસ ખુલાસો કર્યો નથી.પણ તેને એક મોટા સવાલનો પણ જવાબ આપ્યો છે. બધાની નજર એ વાત પર અટકેલી છે કે રોહિતની સાથે આ સિરીઝમાં ઓપનિંગ કોણ કરશે. ટીમ પાસે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલના રૂપમાં બે મુખ્ય દાવેદાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ