બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રુમ ભાડે ન આપતા પાટણના પોલીસ કર્મીએ અમદાવાદમાં મુસ્લિમ સમાજ ભવનના ફરદીન શેખને માર્યો માર
Last Updated: 06:20 PM, 6 May 2026
અમદાવાદના ખાનપુરમાં પોલીકર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગાંધીનગર ખાતે એસએમસીમાં ફરજ બજાવતા પોલીકર્મચારીને ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને માર માર્યો હતો. પોલીસકર્મચારીએ આવેશમાં આવી જઈ અપશબ્દો બોલી તેનો કોલર પકડી માર મારવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે શાહપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની ભવનમાં એક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા નવાઝ ગુલામ રસુલ રૂમ મેળવવા માટે ભવન ખાતે પહોંચ્યા હતા. ત્યાં હાજર કર્મચારી શેખ મોહમદ ફરદીએ રૂમ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. છતાં નવાઝ સંતોષ માન્યા વગર સીધા બુકિંગ ઓફિસમાં જઈ પહોંચ્યા અને ત્યાં રાખવામાં આવેલ રજિસ્ટર પોતે જ ચકાસવા લાગ્યા, જેના કારણે થોડા સમય માટે અચંબો અને ગૂંચવણનો માહોલ સર્જાયો હતો.
પોલીસકર્મચારી દ્વારા અપશબ્દો બોલી માર માર્યો
ADVERTISEMENT
આ દરમિયાન મોહમ્મદ ફરદીન સ્થળ પર પહોંચતા જ પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. નવાઝે ગુસ્સામાં આવીને ફરદીન પર હુમલો કર્યો અને તેને ગાળો બોલતા આડેધડ થપ્પડ અને માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં નવાઝનો આક્રમક વલણ સ્પષ્ટ જોવા મળે છે. ફૂટેજમાં તે પોલીસ અધિકારીની જેમ નહીં, પરંતુ ગુંડાની જેમ વર્તન કરતાં કર્મચારીને નિર્દયતાથી માર મારતો નજરે પડે છે.
રુમ ભાડે ન આપતા ખાનપુર સ્થિત મુસ્લિમ સમાજ ભવનના ફરદીન શેખ નામના કર્મચારીને માર્યો માર#Ahmedabad #Khanpur #Assault #gujaratpolice #ahmedabadpolice #vtvdigital pic.twitter.com/AMIO0B4m7l
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 6, 2026
ADVERTISEMENT
પોલીસકર્મચારી સામે કોઈ કાર્યવાહી નહી
શાહપુર વિસ્તારમાં બનેલા આ બનાવને લઈને ફરદીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી, જેનાથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. ચર્ચાઓ મુજબ આરોપી નવાઝ પોતે પોલીસકર્મી હોવાને કારણે મામલો દબાવવાનો અથવા સમાધાન તરફ દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધતી હોય છે. પરંતુ અહીં આરોપી પોલીસ વિભાગ સાથે સંકળાયેલો હોવાને કારણે કાર્યવાહી મંડાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. આ પરિસ્થિતિએ પોલીસની નિષ્પક્ષતા અને પારદર્શિતાને લઈને લોકોમાં શંકા ઉદ્ભવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ PM મોદી આવશે ગુજરાત, વડોદરામાં કરશે ભવ્ય રોડ શો
પોલીસ કર્મચારીને પૂછપરછ માટે બોલાવવામાં આવશેઃ પીઆઈ
ADVERTISEMENT
આ સમગ્ર મામલે શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાભલાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બનાવ બાબતે અરજી મળી છે. તેમજ પોલીસ કર્મચારીને નિવેદન માટે બોલાવવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.