વેંકૈયા નાયડૂએ કહ્યું કે ઇતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર. જ્ઞાનેશ્વર, રાની લક્ષ્મીબાઇ, શંકરાચાર્ય માટે વધારે કંઇ ખાસ નથી. એટલા માટે કહું છું વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો પડશે
ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ પૂનામાં કહ્યું, આપણે દેશનો વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો પડશે
નાયડૂએ વિદ્યાર્થીઓને પુરાતત્વ વિજ્ઞાન માટે જાણવા માટે કહ્યું
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ દેશમાં ભણાવવામાં આવતા ઇતિહાસ પર પ્રશ્નો ઊઠાવ્યા છે. પૂનામાં એક પુરસ્કાર સમારોહ દરમિયાન નાયડૂએ કહ્યું કે ભારતમાં લાંબા સમય સુધી ઔપનિવેશક શાસન રહેવાના કારણે આપણા ઇતિહાસને ખોટી રીતે સામે રાખવામાં આવ્યો. આ જાણીજોઇને કરવામાં આવ્યું, કારણ કે ભારતની ખરાબ છાપ રજૂ કરી શકાય. બહારથી આવતા જે લોકોએ દેશ પર પ્રહાર કર્યો, લૂટ્યો, દગો આપ્યો અને બરબાદ કર્યો એમના માટે આપણને જણાવવામાં આવે છે કે તેઓ મહાન હતા.
Vice President: But history is not properly projected, lot of distortions have been made by colonial rulers to show us in poor light. To kill our spirit, this happened intentionally...People who came, attacked, ruled, ruined, looted, cheated us, we're taught they're great people. https://t.co/yflmTEyN2M
વેંકૈયાએ કહ્યું કે ઇતિહાસમાં શિવાજી મહારાજ, બાસવેશ્વર. જ્ઞાનેશ્વર, રાની લક્ષ્મીબાઇ, શંકરાચાર્ય માટે વધારે કંઇ ખાસ નથી. લોકો કહે છે કે ભારતની જીડીપી એક સમય 20% હતી. ભારતે ક્યારેય કોઇ દેશ પર પ્રહાર કર્યો નથી. આપણે વિશ્ન ગુરુ હતા. પરંતુ આ બધો ઇતિહાસ આપણી સામે નથી. એટલા માટે કહું છું કે આપણે દેશનો વાસ્તિવક ઇતિહાસ લોકોની સામે રાખવો જોઇએ. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પુરાતત્વ વિજ્ઞાનમાં આપણા ખોટા ઇતિહાસને સાચો કરવાની ક્ષમતા છે.
વેંકૈયાએ કહ્યું કે આ સમયે દેશમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ઘણા સ્મારક છે. એના માટે જાગરૂકતા પેદા કરવી અને સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓને એ માટે જણાવવું ખૂબ જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને નજીકના ક્ષેત્રોમાં મોજૂદ ઐતિહાસિક સ્મારકોનો પ્રવાસ કરાવવા અને ઇતિહાસ જાણવા પર પણ જોર આપવાન માટે કહ્યું છે.