બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 05:12 PM, 30 April 2023
ઘરમાં વાસ્તુદોષ હોય તો માણસ ગમે તેટલી મહેનત કરે છતાં પણ સફળતા મળતી નથી. કમાણી હોવા છતાં પણ પૈસા બિલકુલ ટકતા નથી. જેને લઇને પરિવારજનોને આર્થિક તંગીનો સામનો કરવાની નોબત આવતી હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં ઘર અને રસોડાને ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે અને માણસે ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો માણસની જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે.આવી સ્થિતિ વચ્ચે ઘર અને રસોડામાં અમુક એવી વસ્તુ હોય છે. જેનો સમયાંતરે નિકાલ કરવો જોઈએ નહિ તો વાસ્તુદોષ લાગી શકે છે.
ઝાડુને ભૂલથી પણ રસોડાની અંદર ન રાખવું
આમ તો સાવરણીને મા લક્ષ્મીના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઝાડુને ભૂલથી પણ રસોડાની અંદર ન રાખવું જોઈએ. જો સાવરણીને રસોડામાં રાખવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે અને જેના પરિણામે વાસ્તુદોષ લાગી શકે છે. ઝાડુને રસોડામાં રાખવાથી પરિવારજનોનું આરોગ્ય બગડવાનું જોખમ જોવા મળે છે અને મા અનપૂર્ણા નારાજ થઈ જતા હોય છે.
તૂટેલા વાસણનો ઉપયોગ ટાળો
ઘણી વખત વાસણ તૂટી જવા છતાં પણ લોકો આવા વાસણનો ઉપયોગ કરતા હોય છે અને તેને રસોડામાં રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમા આમ કરવાને અશુભ માનવામાં આવે છે અને રસોડામાં તૂટેલા વાસણ રાખવા પર મનાઈ કરાઈ છે. આવું કરવાથી માં અન્નપૂર્ણા નારાજ થાય છે પરિણામે ઘરમાં ધન ધાન્યની સમસ્યા ઊભી થાય છે.
દવા, અરીસો રસોડાથી દૂર રાખો
રસોડામાં અરીસો લગાવવાથી નકારાત્મક શક્તિઓને ઉર્જા મળે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રસોઈઘરમાં અરીસો લગાવવાથી આગનું પ્રતિબિંબ ઊભું થાય છે અને જરૂરથી વધારે ઉર્જા પેદા થાય છે. જે નુકસાનકારક નીવડી શકે છે. તેવી જ રીતે રસોડામાં દવા પણ ન રાખવી જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને કલેશ, બીમારી તથા આર્થિક તંગી જેવી સમસ્યાઓ માથું ઊંચકે છે. ઘરમાં જો ના છુટકે દવાનો ઉપયોગ થતો હોય તો તેને રસોડાથી દૂર રાખવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime