બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Vande Bharat train will run between Jamnagar and Ahmedabad virtual launch will be done by PM Modi

સુવિધા / હવે જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદીના હસ્તે કરાશે વર્ચ્યુઅલી લોકાર્પણ

Kishor

Last Updated: 05:01 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવશે. જે ટ્રેનનું ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ વિધિવત રીતે પ્રારંભ કરી દેવામાં આવશે.

  • સૌરાષ્ટ્રને વંદે ભારત ટ્રેનની ભેટ 
  • જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન 
  • રવિવારે જામનગરના હાપા રેલવે સ્ટેશનથી થશે શરૂઆત 

સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર સામેં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓની પરિવહન સેવામાં વધારો થયો છે અને હવે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવા ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ ટ્રેનનું ટ્રાયલ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને રવિવારથી સત્તાવાર આ ટ્રેન દોળતી થઇ જશે. સૌરાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળતા જ મોટી સંખ્યામાં લોકોને તેનો ફાયદો થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના બિઝનેસને વધુ વેગ મળશે.

Vande Bharat train will run between Jamnagar and Ahmedabad virtual launch will be done by PM Modi

સપ્તાહમાં છ દિવસ દોળશે આ ટ્રેન

વાત કરીએ સૌરાષ્ટ્રમાં દોળનારી પ્રથમ વંદે ટ્રેનની તો આ ટ્રેન જામનગરથી અમદાવાદ સપ્તાહમાં છ દિવસ દોળશે. હાલ આ ટ્રેનની ટ્રાયલ પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ 24 તારીખ રવિવારથી આ ટ્રેનને વડાપ્રધાન મોદીની વર્ચ્યુંલ ઉપસ્થિતિમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે શરુ કરાશે. સામાન્ય રીતે જામનગરથી અમદાવાદ જવામાં 6થી 7 કલાકનો સમય લાગતો હતો. તે હવે આ ટ્રેનની ભેટ મળતા ઘટીને માત્ર 4:30  કલાકનો થઈ જશે.


ક્યાં ક્યાં સ્ટેશન પર ઊભી રહેશે આ ટ્રેન

સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન વહેલી સવારે 5:30 વાગ્યે જામનગરથી ઉપાડશે જે રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામથી સાબરમતિ રેલવે સ્ટેશને 10:10 કલાકે પહોંચશે. તો પછી અમદાવાદ સાબરમતીથી સાંજે 6 વાગ્યે ઉપડશે જે રાત્રે 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આ વંદે ભારત ટ્રેનમાં કુલ 8 કોચ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ