બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 PM, 5 October 2025
જો તમે માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા છો, તો તેને રદ કરો, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની અસર યાત્રા પર પડી છે. પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. હા, વૈષ્ણો દેવી યાત્રા 7 ઓક્ટોબર સુધી સ્થગિત કરાઇ છે.. શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ચેતવણીને પગલે શ્રદ્ધાળુઓની સલામતી માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.IMDએ 7 ઓક્ટોબર સુધી જમ્મુ અને કાશ્મીર માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. IMD અનુસાર પ્રતિકુળ વાતાવરણ 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની ધારણા છે.
ADVERTISEMENT
#Katra: Mata Vaishno Devi Shrine Board suspended the pilgrimage to the holy cave shrine from October 5 to 7, following an IMD alert warning of adverse weather conditions.#JammuAndKashmir #VaishnoDevi #IMD #WeatherUpdate pic.twitter.com/nD9ZdMQ8mj
— All India Radio News (@airnewsalerts) October 5, 2025
નોંધનીય છે કે 26 ઓગસ્ટ, 2025 ના રોજ, માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર અર્ધકુવારી નજીક ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં ચોત્રીસ લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતને કારણે યાત્રા લગભગ 22 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરના રોજ યાત્રા ફરી શરૂ થઈ હતી. જોકે, આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને, શ્રાઇન બોર્ડ ભારે સાવચેતી રાખી રહ્યું છે અને હવામાન ચેતવણીઓના આધારે યાત્રા રદ કરી રહ્યું છે. શ્રાઇન બોર્ડનું કહેવું છે કે યાત્રાળુઓની સલામતી પ્રાથમિકતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IMDનું એલર્ટ! 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા માચૈલ માતા મંદિરની યાત્રા પણ હવામાનની સ્થિતિને કારણે ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. યાત્રાળુઓને સમુદ્ર સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈએ પદ્દર ખીણમાં સ્થિત ચંડી માતા મંદિર સુધી પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે. મંદિર સુધી પહોંચવા માટે, કિશ્તવાડથી ગુલાબગઢ સુધી લગભગ 50 કિમી મુસાફરી કરવી પડે છે અને પછી માચૈલ સુધી 15 કિમી પગપાળા જવું પડે છે. જોકે, 14 ઓગસ્ટના રોજ મંદિરના પ્રવેશદ્વાર ચિસોટી ગામમાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટના પછી સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક છે, તેથી હવામાન વિભાગે અપડેટ કરતા જ યાત્રા મુલતવી રાખવામાં આવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.