બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખરાબ વસ્તુ પધરાવ્યાં બાદ શું દુકાનદાર રિટર્ન લેવાની ના પાડે છે? તો અહીંયા કરો ફરિયાદ
Last Updated: 01:27 PM, 7 June 2025
દિવસ દરમિયાન આપણે મીનીમમ એક વખત તો કોઈ દુકાને વસ્તુ ખરીદવા જઈએ જ છીએ. પરંતુ આજકાલ લોકો ઓનલાઈન પણ સામાન ઓર્ડર કરે છે. પણ મોટા ભાગનો વર્ગ હજુ પણ દુકાનોમાં જાતે જઈનેને સામાન ખરીદે છે. જેમાં ખાદ્ય પદાર્થો હોય કે કપડાં વગેરે કે કોઈ ગેજેટ. પરંતુ ઘણી વખત એવા કિસ્સાઓ પણ બને છે જેમાં દુકાનદાર લોકોને ખરાબ સામાન પધરાવી દેતો હોય છે.
ADVERTISEMENT
જ્યારે આપણે કોઈ દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે ઘણી વખત આપણે તેની એક્સપાયરી ડેટ જોતા નથી, પરંતુ જ્યારે આપણે ઘરે આવીને તે વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે તે ખરાબ થઈ ગયું છે. આ સ્થિતિમાં લોકો આ ખરાબ થઈ ગયેલ માલ દુકાનદારને પરત કરવા જાય છે, પરંતુ ઘણા દુકાનદારો તેમનો કખરાબ માલ પરત લેવાનો ઇનકાર કરે છે. આ સિવાય અનેક દુકાનદારો પોતાની દુકાનો પર એવું પણ લખીને રાખે છે કે વેચાયેલો માલ પરત લેવામાં નહીં આવે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને ખરાબ વસ્તુ દુકાનદારને પરત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તો ચાલો જાણીએ કે તેનો નિયમ શું કહે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોઈપણ સામાન પાછો ન લેવો અથવા જાણી જોઈને ગ્રાહકોને ખરાબ માલ આપવો વગેરે, આમ કરવું ગ્રાહક કાયદાનું ઉલ્લંઘન છે. આથી તમે આ અંગે નેશનલ કન્જ્યુમર હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકો છો. તમે 1800 114000 નંબર પર કૉલ કરી શકો છો અથવા તમે 1915 નંબર પર પણ કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT
જો તમે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગતા હોવ તો તમે તે પણ કરી શકો છો. આ માટે તમારે CPGRAMS ના સત્તાવાર પોર્ટલ https://pgportal.gov.in/ ની મુલાકાત લેવી પડશે. તમે તેની એપની પણ મુલાકાત લઈ શકો છો અને પછી ત્યાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે ઇચ્છો તો તમે જિલ્લા ગ્રાહક ફોરમમાં ઑફલાઇન તમારો કેસ દાખલ કરી શકો છો. અહીંયા ફક્ત 2 લાખ રૂપિયા સુધીના કેસોની સુનાવણી થાય છે. તમારે દરેક દસ્તાવેજોની પણ જરૂર પડશે. જો ફરિયાદ સાચી હોવાનું જણાય તો રિફંડ સિવાય તમે રિપ્લેસ કરેલ પ્રોડક્ટ અને અલગથી વળતર પણ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.