બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 PM, 6 June 2025
અત્યારના જમાનામાં કાર, મોબાઈલ ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ હપ્તા પર ખરીદવી સામાન્ય બાબત બની ગઈ છે. લોકો બેંકોમાંથી લોન લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. લોન આપતા પહેલા બેંક વ્યક્તિની ક્રેડિટ હિસ્ટરી, આવકનો સ્ત્રોત અને રીપેમેન્ટ કેપેસિટી ધ્યાનમાં લે છે જેથી જવાબદાર વ્યક્તિ સમયસર લોનના હપ્તા ચૂકવી શકે. પરંતુ આ કિસ્સામાં જો લોન લેનાર વ્યક્તિ લોન ચુકવણીના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે તો લોનની જવાબદારી કોણ લેશે તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થાય છે.
ADVERTISEMENT
જ્યારે કોઈ વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે ત્યારે તે કાનૂની કરાર કરે છે કે તે નિર્ધારિત સમયમાં વ્યાજ સહિત લોનની રકમ ચૂકવશે. પરંતુ જો કોઈ કારણોસર લોન લેનારનું મૃત્યુ થાય તો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે લોન કોણ ચૂકવશે? શું બેંક લોન માફ કરી દેશે? શું તે પરિવારને ભરવાની રહે છે ? અહીં આપણે આ સ્થિતિને વિગતવાર સમજીએ.

ADVERTISEMENT
જો તે સમયગાળા દરમિયાન લોન લેનારનું મૃત્યુ થાય તો લોન ચૂકવવાની જવાબદારી પરિવારના કોઈપણ સભ્ય પર આવતી નથી. બેંક પહેલા ખાતરી કરે છે કે લોન લેતી વખતે ગેરંટર અથવા કો એપ્લીકેંટ કોણ હતું. ત્યાર બાદ જ બેંક તેના ગેરંટર અથવા કો એપ્લીકેંટનો સંપર્ક કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો સંબંધિત બેંક પહેલા કો-એપ્લીકેંટનો સંપર્ક કરે છે. ઘણીવાર કો-એપ્લીકેંટનું નામ હોમ લોન, એજ્યુકેશન લોન અથવા સંયુક્ત લોનમાં નોંધાયેલું હોય છે. જો કો-એપ્લીકેંટ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક ગેરંટરનો સંપર્ક કરે છે. ત્યાર બાદ જો ગેરંટર પણ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક મિલકતની હરાજી કરીને લોન વસૂલ કરે છે. જો લોન લેનાર વ્યક્તિએ લોન વીમો લીધો હોય તો લોન વીમા કંપની હપ્તા ચૂકવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.