બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અમેરિકાથી વધુ 112 ભારતીયો દેશનિકાલ, ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, પરિવારે લીધો રાહતનો શ્વાસ
Last Updated: 10:38 PM, 16 February 2025
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને વધુ એક ત્રીજું વિમાન આજે અમૃતસર એરપોર્ટ પહોંચ્યું છે. 112 ભારતીયોને લઈને અમેરિકન વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ભારતીયોના પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો. દેશશનિકાલ કરાયેલા યુવાનોના પરિવારના સભ્યો તેમના પ્રિયજનોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન વિમાનો સતત અમૃતસર એરપોર્ટ પર ઉતરી રહ્યા છે અને આજે વધુ એક ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરી છે. ગઈકાલે પણ એક અમેરિકન વિમાન 116 ભારતીયોને લઈને ઉતર્યું હતું.
ADVERTISEMENT
US military plane lands in Amritsar with deported Indians https://t.co/2z4mWpx6sa pic.twitter.com/gZ7SpC109f
— Sidhant Sibal (@sidhant) February 16, 2025
અત્યાર સુધી 3 ફ્લાઈટ આવી
ADVERTISEMENT
ગેરકાયદેસર લોકોને દેશનિકાલ કરવાનું ટ્રમ્પ સરકારનું અભિયાન આગળ વધ્યું છે. ટ્રમ્પ સરકારે અત્યાર સુધી ગેરકાયદેસર ભારતીયો ભરેલી 3જી ફ્લાઈટ ભારત મોકલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.