બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Uproar again in JNU: Left insists on showing banned documentary
Priyakant
Last Updated: 12:23 PM, 25 January 2023
JNU માં BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હંગામો ચાલુ છે. વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી અહીં જબરદસ્ત દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, અહીં કેમ્પસ પ્રશાસને PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવા માટે વીજળી કાપી નાખી અને ઈન્ટરનેટ બંધ કરી દીધું. જ્યારે વિદ્યાર્થીઓએ આના વિરોધમાં મોરચો કાઢ્યો ત્યારે તેમના પર પથ્થરમારો થયો હતો. આ ઘટનાઓ વચ્ચે મોડી રાત્રે વિદ્યાર્થીઓએ વસંત કુંજ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું હતું. બાદમાં પોલીસની એક ટીમ પણ જેએનયુ કેમ્પસ પહોંચી અને વિદ્યાર્થીઓની ફરિયાદ નોંધી.
શુ છે સમગ્ર મામલો ?
કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) દ્વારા તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. તે ગુજરાત રમખાણો પર આધારિત છે. આમાં શ્રેણી દ્વારા ખોટી વાર્તાઓ ફેલાવવાનો આરોપ છે. આ તરફ JNU પ્રશાસને કેમ્પસમાં ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી પણ ડાબેરી વિદ્યાર્થીઓના એક જૂથે સરકાર દ્વારા પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' મોબાઈલ પર સ્ક્રીન કરવાનો પ્રયાસ કર્યો, જેના પર મંગળવારે મોડી સાંજે હંગામો થયો.
કેમ્પસનો અચાનક વીજળી ગઈ અને......
વિદ્યાર્થીઓએ રાત્રે 9 વાગ્યે સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટરના લૉનમાં ડોક્યુમેન્ટરી જોવા જણાવ્યું હતું. પરંતુ અચાનક સાંજે 7:30 વાગ્યે ટેક્નિકલ ખામી સર્જાતા સમગ્ર કેમ્પસનો પાવર ડુલ થઈ ગયો હતો. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, કેમ્પસ પ્રશાસને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ રોકવા માટે વીજળી અને ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખ્યા હતા. આ પછી વિદ્યાર્થીઓએ મોબાઇલ ટોર્ચના પ્રકાશમાં લેપટોપ અને મોબાઇલ પર ડોક્યુમેન્ટ્રી જોવાનું શરૂ કર્યું, નવ વાગ્યે મોબાઇલ પર એકબીજા સાથે લિંક્સ શેર કરી.
Delhi | Students in JNU claim stones were pelted during the screening of banned BBC documentary on PM Modi pic.twitter.com/3apVsq8Ots
— ANI (@ANI) January 24, 2023
યુનિવર્સિટીમાં કેમ થયો હંગામો?
વિદ્યાર્થીઓનો આરોપ છે કે, સિરીઝ જોતી વખતે ABVPના કાર્યકરોએ તેમના ચહેરા ઢાંકી દીધા હતા અને અંધારામાં તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેણે આમાંથી બે વિદ્યાર્થીઓને પકડ્યા. JNU સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આયેશા ઘોષનું કહેવું છે કે, ABVPએ પથ્થરમારો કર્યો છે પરંતુ હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ પથ્થરમારાને લઈને ABVP સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, શું આ આરોપો લગાવનારા લોકો પાસે અમે પથ્થરમારો કર્યો હોવાના કોઈ પુરાવા છે? અમે કોઈ પથ્થરમારો કર્યો નથી.
Delhi | Police personnel arrive outside JNU campus after students claimed stones were pelted during the screening of banned BBC documentary on PM Modi. pic.twitter.com/TK4WdbDsgp
— ANI (@ANI) January 24, 2023
યુનિવર્સિટી પ્રશાસને પોલીસ બોલાવી અને.....
ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ બાદ સ્થિતિ વધુ વણસતી જોઈને યુનિવર્સિટી પ્રશાસને પોલીસ બોલાવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. આ સમગ્ર એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓના એક જૂથે કેમ્પસથી વસંત કુંજ સુધી વિરોધ માર્ચ પણ કાઢી હતી. મોડી રાત્રે પોલીસની ટીમ પણ કેમ્પસમાં પહોંચી હતી અને વિદ્યાર્થીઓની ફરિયાદ નોંધી હતી. આ મામલે હજુ સુધી એફઆઈઆર પણ નોંધાઈ નથી. પોલીસ દ્વારા પથ્થરમારાની પુષ્ટિ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસનું કહેવું છે કે, જો અમને જેએનયુમાંથી કોઈ ફરિયાદ મળશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Delhi | JNU students protest outside a police station in Vasant Kunj after they marched there claiming stones were pelted during the screening of banned BBC documentary on PM Modi. pic.twitter.com/tYveQpj1yM
— ANI (@ANI) January 24, 2023
JNU પ્રશાસન સવાલોના ઘેરામાં
વિદ્યાર્થીઓએ મંગળવારે સાંજે JNU પ્રશાસનને એક નોટિસ આપી ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગની જાહેરાત કરી અને 3 પ્રશ્નો પણ પૂછ્યા. સૌથી પહેલા તો યુનિવર્સિટી પ્રશાસને એ જણાવવું જોઈએ કે, JNU એક્ટમાં ક્યાં લખ્યું છે કે, જો કોઈ ફિલ્મ પ્રદર્શિત થાય છે તો તે નિયમોનું ઉલ્લંઘન છે. બીજું- JNU પ્રશાસને જણાવવું જોઈએ કે એક્ટમાં ક્યાં લખ્યું છે કે ફિલ્મ જોવા માટે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનની પરવાનગીની જરૂર છે અને ત્રીજું- JNU પ્રશાસને કયા એક્ટના આધારે વિદ્યાર્થીઓને આ નોટિસ મોકલી છે. અંતે વિદ્યાર્થીઓએ લખ્યું છે કે, અહીં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ પોતાની મરજીથી પહોંચ્યા હતા. અમારો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાન નહોતો. અમારો ઉદ્દેશ્ય માત્ર ફિલ્મની સ્ક્રિપ્ટ જાણવાનો હતો, જેના કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime