બ્રેકિંગ ન્યુઝ
અમિત શાહે રવિવારે એટલે કે આજે સેલવાસની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સભાને સંબોધિત કરતા કહ્યુ કે, 370 પર રાહુલ ગાંધીના નિવદેનના પાકિસ્તાનના સંસદમાં વખાણ થઇ રહ્યા છે, તેમના આ નિવેદનથી પાકિસ્તાન UN માં પોતાની અરજીમાં શામેલ કરી શકે છે. આ માટે કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ.
ADVERTISEMENT
અમિત શાહે કહ્યુ કે, ''કોંગ્રેસે 370 હટાવવામાં આવી તે વાતનો વિરોધ કર્યો, આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે, તેના વખાણ પાકિસ્તાનમાં થાય છે. આ નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં શામેલ કરી શકે છે, કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારત વિરુદ્ઘ થઇ રહ્યો છે.''
કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યુ કે, ''JNUમાં દેશ વિરોધી નારા લગાવવાનો મુદ્દો હોય, કે પછી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જેવા મામલામાં કોંગ્રેસ સરકાર વિરુદ્ઘ રહી. હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તમે કઇ રીતે રાજનીતિ કરવા માંગો છો.''
ADVERTISEMENT
कांग्रेस ने 370 को हटाने का विरोध किया। आज भी राहुल गांधी जो बयान देते हैं उसकी पाकिस्तान में तारीफ होती है। उनके बयान को पाकिस्तान अपनी याचिका में शामिल करता है।
— BJP (@BJP4India) September 1, 2019
कांग्रेसियों को शर्म आनी चाहिए कि उनके बयान का उपयोग भारत के खिलाफ हो रहा है: गृहमंत्री @AmitShah pic.twitter.com/icDQE5oorw
ADVERTISEMENT
અમિત શાહએ કહ્યુ કે, ''કલમ 370ને લઇને દેશની જનતા નરેન્દ્ર મોદીની સાથે છે. કલમ 370 અને 35 A દેશના એકાકીકરણ માટે બાધારૂપ હતી. મોદીને તમે ફરી પ્રધાનમંત્રી બનાવ્યા અને તેમણે સંસદના પહેલા જ સત્રમાં કલમ 370 અને 35 A હટાવી દીધી. મોદી સિવાય આ કામ કોઇ બીજુ ના કરી શકે.''
ADVERTISEMENT
કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યુ કે, ''70 વર્ષોમાં દેશમાં ઘણી પાર્ટીની સરકાર બની. કેટલાક લોકોની ત્રણ-ત્રણ પેઢીએ દેશ પર રાજ કર્યુ, 70 વર્ષમાં 370 અને 34એ કલમ હટાવવાની કોઈ હિંમત ન હતી. એક ઝાટકે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમ હટાવી દીધી. એક ઝાટકે કલમ હટાવી આતંકવાદીઓને મોદી સરકારે મોટા ઝટકો આપ્યો છે. કાશ્મીરમાં હાલ સંપૂર્ણ શાંતિ છે.કેટલાક લોકો 370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે દેશની વાત હોય ત્યારે રાજકારણ ન કરવું જોઈએ. ''
ગૃહમંત્રીએ કહ્યુ કે, ''દુનિયાને બતાવવા માંગે છે કે 370 હટાવ્યા પછી કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે. 370 હટાવ્યા પછી એક ગોળી ચલાવવાની પણ જરૂર નથી, ન તો કોઇ ગેસ છોડવામાં આવ્યો અને ન તો કોઇએ જીવ નથી ગુમાવ્યો.''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.