કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં આજે ખેડૂતો માટે ખાસ જાહેરાત કરવામાં આવી હતી.
સરકાર 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરાશે
કેન્દ્ર સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પર કાયમ છે. પ્રધાનમંત્રીએ 80 મિલિયન પરિવારોને કેટલાક મહિના સુધી ફ્રિ ગેસ ઉપલબ્ધ કરાવ્યા, 40 મિલિયનથી વધુ ખેડૂતો, મહિલાઓ, ગરીબોને સીધા ખાતામાં રૂપિયા જમા કરાવ્યા.
ખેડૂતો માટે બજેટમાં જાહેરાત શું?
ખેતપેદાશોની ખરીદીનું કામ ઝડપથી શરૂ થશે
MSP મામલે મૂળભૂત પરિવર્તન થશે
દોઢ ગણી વધુ MSP આપવાનો પ્રયાસ કરાશે
ખેડૂતોને 75 હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી
ઘઉં મામલે 2013-14માં 35,874 કરોડની ચૂકવણી કરાઈ હતી
2019-20માં આ રકમ 62,802 કરોડની ચૂકવણી કરી
2020-21માં ઘઉં માટે 75,060 કરોડની ચૂકવણી કરી
ખેડૂતો પાસેથી ખરીદી ઉપર ભાર મૂકાશે
ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણી રકમ આપવા પ્રયાસ
1000 વધુ APMC online કરાશે
પશુપાલન અને ડેરી માટે 40 હજાર કરોડ ફાળવાયા
દેશમાં પાંચનનવા કૃષિ હબ બનશે
સિંચાઈ માટે 5000 કરોડ
દાળ પકવતા ખેડૂતો માટે 10 હજાર કરોડ
અનાજ પકવતા ખેડૂતો માટે 1.72 લાખ કરોડ
કૃષિ-ફિશિંગ સેક્ટર માટે એલાન
નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાને હવે દેશભરમાં લાગુ કરવામાં આવશે. એગ્રીકલ્ચરના ક્રેડિટ ટારેગટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવી રહ્યાં છે. ઓપરેશન ગ્રીન સ્કીમનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક પાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવશે.
નાણ મંત્રી નિર્મલા સીતારમણે તરફથી પાંચ ફિશિંગ હાર્બરને આર્થિક ગતિવિધિના હબ તરીકે તૈયાર કરવામાં આવશે. તામિલનાડુમાં ફિશ લેન્ડિંગ સેન્ટરનો વિકાસ કરવામાં આવશે. પ્રવાસી મજદૂર માટે દેશભરમાં એક દેશ-એક રાશન યોજના શરુ કરવામાં આવી છે. એક પોર્ટલની શરુઆત કરવામાં આવશે, જેમાં માઇગ્રેટ વર્કરથી જોડાયેલ ડેટા હશે.