સી ગૌતમ અને અબરાર કાઝી પર ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ લાગ્યો છે. કેપીએલ 2019ની ફાઇનલ હુબલી અને બેલ્લારી ટીમની વચ્ચે રમવામાં આવી હતી, જેમાં સ્પૉટ ફિક્સિંગ થઇ.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ પર ફિક્સિંગને લઇને ચર્ચામાં છે. એની સૌથી વધારે અસર ભારતની સ્થાનિક ક્રિકેટ પર પડી છે. તાજેતરમાં સ્પૉટ ફિક્સિંહ મામલામાં ભારતના બે ખેલાડીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ બંને ખેલાડી કર્ણાટક પ્રીમિયમ લીગના ઘણા સંસ્કરણમાં અલગ અલગ ટીમોથી મેચ રમી ચુક્યા છે.
બેલ્લારી ટીમના કેપ્ટન સીએમ ગૌતમ અને બહરાર કાઝીને સ્પૉટ ફિક્સિંગ મામલે પોલીસે ધરપકડ કરી છે. સીએમ ગૌતમ આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તરફથી રમી ચુક્યો છે. બંને ખેલાડીઓને કેપીએલ 2019ની ફાઇનલ દરમિયાન ધીમી બેટિંગ માટે સટ્ટેબાજોને 20 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેપીએલ 2019ની ફાઇનલ મેચ હુબલી અને બેલ્લારી ટીમની વચ્ચે રમવામાં આવી હતી. ગૌતમ રણજી મેચ પણ રમી ચુક્યો છે.
આ પહેલા કર્ણાટક પ્રીમિયમ લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં 29 વર્ષના બેટ્સમેન નિશાંત સિંહ શેખાવતને કેન્દ્રીય અપરાધ શાખા પોલીસે 2018માં મેચ ફિક્સિંગમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કેપીએલમાં ઘણી ટીમો માટે રમી ચુકેલ શેખાવત પર સટ્ટેબાજોની મદદ કરવાનો આરોપ છે.
જણાવી દઇએ કે કર્ણાટક પ્રીમિયમ લીગના 2018 સંસ્કરણમાં ફિક્સિંગ મામલે બેંગ્લોર બ્લાસ્ટર્સના પૂર્વ બેટ્સમેન, એમ વિશ્નનાથનને પણ બેંગ્લોર પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે સટ્ટાબાજે વિશ્નનાથનને હુબલી ટાઇગર્સની સામે એક મેચમાં 20 બોલમાં 10 રનથી પણ ઓછામાં સ્કોર બનાવવા કહ્યું હતું, એમને એવું જ કર્યું અને 17 બોલમાં માત્ર 9 રન જ બનાવ્યા. પોલીસે જણાવ્યું કે વિશ્વનાથન સ્ટ્ટાબાજોને મેચ દરમિયાન સંકેત આપવા માટે પોતાનું બેટ બદલ્યું અને જર્સીને અડધી વાળી નાંખી.