હળદરવાળું દૂધ શિયાળામાં અને ખાસ કરીને કોરોના મહામારીમાં પણ સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે. ઔષધિય ગુણોથી ભરપૂર અને એન્ટીબાયોટિક્સ પ્રોપર્ટીઝ વાળું હળદરવાળું દૂધ અનેક મોટા ફાયદાઓ આપે છે. રોજ રાતે 1 ગ્લાસ હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.
શિયાળામાં ફાયદારૂપ છે હળદરવાળું દૂધ
રોજ રાતે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી મળે છે અઢળક ફાયદા
સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે આ ગોલ્ડન મિલ્ક
હળદરવાળું દૂધ પ્રાચીન સમયથી પરંપરા રહી છે. નાના મોટા ઘા હોય કે શરીરનું દર્દ. તમામ નાની મોટી સમસ્યાઓમાં હળદરવાળું દૂધ લાભદાયી રહે છે. કેલ્શિયમની સાથે હળદરના એન્ટીબાયોટિક્સ મિક્સ થવાથી પણ અનેક ફાયદા મળે છે. તો જાણો કઈ સમસ્યાઓમાં આ હળદરવાળું દૂધ તમને મદદ કરે છે.
સોજા ઘટાડે
હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. શિયાળામાં ખાસ કરીને સાંધાના દુઃખાવવાની ફરિયાદ રહે છે. એવામાં આ દૂધ દર્દ ઘટાડે છે અને સોજાના કારણે થતાં લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરે છે. આ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
શરદી ખાંસી દૂર કરશે
હળદરવાળું દૂધ તેમાં રહેલા એન્ટી બાયોટિક્સની મદદથી ફ્રી રેડિકલ સેલ્સથી લડે છે. આ કારણે બદલાતી સીઝનમાં દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ખાંસી, ગળામાં દર્દ અને સીઝનલ તાવમાં રાહત મળે છે.
હ્રદય માટે પણ જરૂરી
હળદરમાં એન્ટી ઇન્ફ્લોમેટરી પ્રોપર્ટી હોય છે. આ માટે દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય હળદરના દૂધથી બ્લડ શુગર લેવલ મેનેજ રહે છે અને એવું થવાથી દિલ સ્વસ્થ રહે છે.
સારી ઊંઘ આવશે
હળદર વાળું દૂધ પીવાથી સારી ઊઘ આવે છે. હળદરમાં અમિનો એસિડ હોય છે જેનાથી સારી ઊંઘ આવે છે. અનિદ્રાની સમસ્યા વાળા લોકોએ રોજ રાતે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું. તેનાથી લાભ થશે.
હાડકા કરે છે મજબૂત
વિટામીન ડી અને કેલ્શિયમનો એક સારો સ્ત્રોત હળદરવાળું દૂધ માનવામાં આવે છે. તેનાથી હાડકા મજબૂત રહે છે. ઓસ્ટિયોપોરોસિસ અને ઓસ્ટિયોપીનિયા જેવી બીમારીને દૂર કરવામાં રાહત મળે છે. બોન ફ્રેક્ટર કે હાડકા ડેમેજ થવાની સ્થિતિમાં હળદરવાળું દૂધ પીવાથી લાભ થશે.
વજન ઘટાડે છે
હળદરમાં કેલ્શિયમ અને મિનરલ્સ હોય છે. તે શરીરની ફેટ પણ બાળે છે. આ કારણે હળદરવાળું દૂધ પીવાથી વજન ઘટે છે.