બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પાણી ભરાયેલા સ્થળોએ નહીં લાગે લાઈટનો કરન્ટ, AMCએ નવો પ્રયોગ શરુ કર્યો
Last Updated: 05:15 PM, 19 June 2026
ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શહેરના વોટર લોગિંગ સ્પોટ તરીકે ઓળખાતા સ્થળોએ વીજપોલમાં ખાસ MCB (મિનીએચર સર્કિટ બ્રેકર) ડિવાઇસ લગાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
AMCના આ પ્રયોગનો મુખ્ય હેતુ વરસાદી પાણીમાં વીજ કરંટ ફેલાવાની સંભાવના દૂર કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. નવી વ્યવસ્થા મુજબ, કોઈ વિસ્તારમાં આશરે 18 ઇંચ જેટલું પાણી ભરાય ત્યારે MCB ડિવાઇસ આપમેળે સક્રિય થઈ વીજપોલનો ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરી દેશે.

ADVERTISEMENT
અકસ્માતોને અટકાવવામાં મદદ મળશે
પાવર સપ્લાય બંધ થતાં પાણીમાં વીજ પ્રવાહ ફેલાવાનો ખતરો નહીં રહે અને કરંટ લાગવાથી થતા અકસ્માતોને અટકાવવામાં મદદ મળશે. AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરના સંવેદનશીલ અને વારંવાર પાણી ભરાતા વિસ્તારોમાં આ ડિવાઇસ પ્રાથમિક તબક્કે સ્થાપિત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા હતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગયા ચોમાસા દરમિયાન અમદાવાદમાં વીજ કરંટ લાગવાથી 6 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને AMCએ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આ નવી પહેલ અમલમાં મૂકી છે.
આ પણ વાંચોઃ ચોમાસું કેમ અટવાયું? શું કામ નથી વધતું આગળ? સામે આવ્યું ચોંકાવનારુ કારણ
ADVERTISEMENT
AMCને આશા છે કે આ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ચોમાસા દરમિયાન વીજ કરંટથી થતી જાનહાનિ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને શહેરવાસીઓને વધુ સુરક્ષિત વાતાવરણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.