બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kishor
Last Updated: 08:20 AM, 12 February 2023
તુર્કીયે અને સીરિયામાં ભૂકંપના કારણે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂકંપને પગલે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેવામાં નવા આંકડા સામે આવ્યાક છે જેમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
મૃત્યુઆંક 50 હજાર સુધી પહોંચી શકે તેવો દાવો
જેમાં પણ સૌથી વધુ નુકસાન તુર્કીયેમાં થયું છે. જ્યા ભૂકંપની થપાટે 24,617 લોકો કાળને ભેટયા છે. તો 80 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બીજી બાજુ સીરિયામાં 5,279 લોકોના મોત થતા હોવાનું અને 5,000 થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. સામે પક્ષે ભૂકંપથી મૃત્યુઆંક અંગે સંયુક્ત રાષ્ટ્રએ મોટો દાવો કર્યો છે. જેમણે 50,000 સુધી મૃત્યુઆંક પહોંચી શકે છે.
જર્મનીના ગૃહ મંત્રીએ કરી જાહેરાત
આવી ગંભીર સ્થિતિમાં જર્મનીના ગૃહ મંત્રી નેન્સી ફેજરે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે તેમનો દેશ તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિતોને ત્રણ મહિનાના વિઝા આપશે. ફેઝરે એક દૈનિક અખબાર જણાવ્યું હતુ કે તે કટોકટી અંગેની સહાય છે. મહત્વનું છે કે હાલ તુર્કીયેમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પાંચમા દિવસે પણ રેસ્ક્યુ યથાવત છે. જેમા મોટા મશીનોનો મારફેતે કાટમાળ હટાવવમાં આવી રહ્યા છે.
Germany to issue emergency visas to Turkish, Syrian earthquake victims
— ANI Digital (@ani_digital) February 12, 2023
Read @ANI Story | https://t.co/XVdaF7inXR#Germany #TurkeySyriaEarthquake #TurkeyEarthquake #Turkey #TurkeySyria pic.twitter.com/p3doG1iHj6
વિશ્વ બેંક દ્વારા તુર્કીને અપાયા આટલા બિલિયન ડોલર
કુદરતી આફતમાંથી તુર્કીને ઉગારવા માટે વિશ્વ બેંક દ્વારા તુર્કીને 1.78 બિલિયનની સહાયની પણ જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકાએ પણ તુર્કી અને સીરિયાને 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. એ જ રીતે ભારત પણ તુર્કીની મદદ કરીનેં સાથે ઉભું છે. વિમાન મારફતે રાહત સામગ્રી, સૈનિકો અને ડૉક્ટરોની સેના મોકલવામાં આવી રહી છે. ભારતની NDRF ટીમ સ્થળ પર જ હાજર છે અને દટાયેલા લોકોને બચાવવા પ્રયાસો કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime