બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. લોકો તેને ઘરમાં લગાવવાને શુભ માને છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓથી રાહત મળે છે. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ખુશીઓ આવવા લાગે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તુલસીના વાસણમાં કેટલાક વિશેષ ચિહ્નો બનાવવામાં આવે તો ભાગ્ય સાથ આપવા લાગે છે.
ચક્ર
જો તુલસીના વાસણમાં/કુંડમાં ચક્રનું નિશાન કે ચિન્હ બનાવવામાં આવે તો તેનાથી આર્થિક સ્થિતિમાં આશીર્વાદ મળવા લાગે છે. તેનાથી મનુષ્યના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને મન શાંત રહે છે.
ADVERTISEMENT
સ્વસ્તિક
તુલસીના કુંડ પર સ્વસ્તિકનું પ્રતીક બનાવવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે કુંડ પર સ્વસ્તિક ચિહ્ન બનાવવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે.
શંખ
પૂજામાં શંખનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સવાર-સાંજ શંખનો અવાજ ગુંજતો હોય, તે ઘરમાં ક્યારેય નકારાત્મકતા રહી શકતી નથી. આવી સ્થિતિમાં તુલસીના કુંડ પર શંખનું નિશાન લગાવવાથી બાધાઓ દૂર થાય છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.