બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / વિશ્વ / Toshakha case Imran Khan former PM of Pakistan banned from contesting elections for 5 years
Kishor
Last Updated: 11:01 PM, 8 August 2023
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું રાજકારણ ખતમ થઈ ગયું હોય તેવું કહી શકાય! કારણ કે પાકિસ્તાનના ચૂંટણી પંચે શુક્રવારે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાંચ વર્ષ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તોશાખાના કેસમાં ઈમરાન ખાનને પ્રોપર્ટી છુપાવવા અને સરકારી ગિફ્ટ વેચવા બદલ દોષી ઠેરવ્યા બાદ આ કેસમાં ઇમરાન ખાન વિરુદ્ધ આ આકરી કાર્યવાહી કરી છે. પરિણામે હવે પાકિસ્તાનની તહરીક-એ-ઇન્સાફ એટલે કે પીટીઆઇના વડા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં! જોકે આ નિર્ણયનો પાર્ટીના મહાસચિવ અસદ ઉંમરે વિરોધ કરી ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં પડકારવાનો દાવો કર્યો છે.
તોશખાના કેસ : પાકિસ્તાની ચૂંટણી પંચે ઈમરાન ખાન પર પાંચ વર્ષ ચૂંટણી લડવા પર મૂક્યો પ્રતિબંધ#Toshakhanacase @ImranKhanPTI #elections #Pakistan #vtvgujarati pic.twitter.com/0Wn6HCYM1U
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2023
ભ્રષ્ટાચારના કાયદા તળે પણ કાર્યવાહી કરવામાં આવશે
પાકિસ્તાની ન્યુઝના અહેવાલ અનુસાર ગઠબંધન સરકારના સંસદોએ ઓગસ્ટમાં ઇમરાન ખાન વિરુદ્ધ ચૂંટણી પંચમાં રાવ કરી ખાનને ગેરલાયક ફેરવવાની માંગ ઉઠાવી હતી. બાદમાં મામલે મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાનીની વડપણ હેઠળની ઇસીપીની ચાર સભ્યોની બેંચે આ ચુકાદો આપ્યો હતો. વધુમાં તેઓની સામે ભ્રષ્ટાચારના કાયદા તળે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ઇસીપીએ જાહેરાત પણ કરી હતી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈસ્લામાબાદની જિલ્લા અને સત્ર અદાલતે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે.
શુ છે તોશાખાના કેસ?
તોશાખાના એ પાકિસ્તાનમાં એક સરકારી વિભાગ છે, જ્યાં અન્ય સરકારોના વડાઓ, વિદેશી મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સાંસદો, અમલદારો અને અધિકારીઓને આપવામાં આવતી ભેટો રાખવામાં આવે છે. વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પર આરોપ હતો કે, તેમણે તોશાખાનામાં રાખવામાં આવેલી ભેટને ઓછી કિંમતે ખરીદી હતી અને પછી નફો કમાવવા માટે તેને વેચી દીધી હતી. વર્ષ 2018માં ઈમરાન ખાનને દેશના પીએમ તરીકે યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટ મળી હતી. ઈમરાન દ્વારા ઘણી ગિફ્ટ જાહેર કરવામાં આવી ન હતી, જ્યારે ઘણી ગિફ્ટ ઓરિજિનલ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી અને બહાર જઈને ઊંચા ભાવે વેચાઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime