બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:59 AM, 9 January 2026
તિલક વર્મા એક મેચ વિનર ખેલાડી છે. માત્ર સાડા ત્રણ મહિના પહેલા એશિયા કપના હાઈ વોલ્ટેજ ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતે 20 રનની અંદર અભિષેક શર્મા, શુભમન ગિલ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ પડી ગઈ હતી. ભારતીય ફેન્સ ચિંતામાં હતા એવામાં તિલક વર્માએ 53 બોલ પર અણનમ 69 રનની ટોપ ક્લાસ યાદગાર ઈનિંગ રમી હતી અને ફાઈનલ મેચને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત એશિયા કપનું ચેમ્પિયન છે અને તિલક વર્મા ફાઈનલના મેચ ઓફ ધ મેચ.
ADVERTISEMENT
ટી 20 વર્લ્ડ કપ શરૂ થવાના પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ટી 20 વર્લ્ડકપ માટે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાના સૌથી મજબૂત ખેલાડી તિલક વર્માની સર્જરી ભારતીય ક્રિકેટની દુનિયાને હચમચાવી નાંખી છે. એવી અટકળો પણ છે કે તિલકને ઠીક થવામાં ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે અને ક્યાંક તે ટી 20 વર્લ્ડકપની બહાર તો નહીં થઈ જાયને.
ADVERTISEMENT
સાંજ પડતાની સાથે જ ટીમ ઈન્ડિયાના રજનીકાંતે ફેન્સને ખુશ કરી દીધા હતા. 23 વર્ષના લેફ્ટ હેન્ડ બેટ્સમેને સેલ્ફી સાથે ઈન્ટાગ્રામ પર લખ્યું કે, આપ સૌનું પ્રેમ મળ્યો તેના માટે ભાર અને તમને જેટલી ખબર છે એના કરતા ઝડપથી હું પાછો આવીશ.

ADVERTISEMENT
તિલક વર્માની રાજકોટમાં સર્જરી પછી તેમના કોચે કહ્યું કે, ઈન્જરી સામાન્ય છે અને તે ઝડપથી ત્રણ ચાર દિવસમાં સાજા થઈને પાછા મેદાન પર આવી જશે.
ADVERTISEMENT
BCCI ની પ્રેસ રિલીઝ મુજબ, તિલક વર્માએ 7 જાન્યુઆરીએ રાજકોટની એક હોસ્પિટલમાં પેટની ફરિયાદ માટે સર્જરી કરાવી હતી. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ આજે હૈદરાબાદ પાછા ફરશે. જોકે તેમને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જેટલી છે IPL ના 5 પ્લેયર્સની સેલરી, એનાથી ઓછામાં વેચાઈ ગઈ PSL ની 2 ટીમ
ADVERTISEMENT
તિલક વર્મા રાજકોટમાં વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામે હૈદરાબાદ તરફથી રમી રહ્યા હતા ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ ઘટનાએ ટીમ ઇન્ડિયાને બેકઅપ પ્લાન તૈયાર કરવાની અથવા પ્લાન B પર વિચાર કરવાની તક આપી છે.
ન્યુઝીલેન્ડ સામે આગામી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. તિલક ચોથી અને પાંચમી T20I (28 જાન્યુઆરી વિશાખાપટ્ટનમ અને 31 જાન્યુઆરી તિરુવનંતપુરમ) માટે પણ પરત ફરી શકે છે.જોકે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત પ્રથમ ત્રણ T20 મેચ (21 જાન્યુઆરી નાગપુર, 23 જાન્યુઆરી રાયપુર અને 25 જાન્યુઆરી ગુવાહાટી) માં તિલકની જગ્યાએ કોને લેશે - શ્રેયસ ઐયર, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, દેવદત્ત પડિકલ, અથવા કોઈ અન્ય ખેલાડી. આ પસંદગીઓ ટીમની વર્તમાન વિચારસરણી અને T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની દિશાનો ઈશારો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.