બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે
બેંકોનું જરુરી કોઈ કામ પેન્ડિંગ પડ્યુ હોય તો પૂરુ કરી લેજો. કેમકે સરકારી બેંકોમાં હડતાળ થવા જનાર છે. કેનેરા બેંકે તેનાં ગ્રાહકોને આગાહી આપી છે કે તેમની બેંકિંગ સેવાઓ પર પ્રસ્તાવિત હડતાળને લીધે અસર પડી શકે છે. કેનેરા બેંકે જણાવ્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિયેશન તરફથી સુચના આપવામાં આવી છે કે યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન્સે બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં 15 માર્ચથી 16 માર્ચ સુધી હડતાળની જાહેરાત કરી છે. કેનેરા બેંકે કહ્યું છે કે તે પ્રસ્તાવિત હડતાળનાં દિવસે પણ બેંકની શાખાઓ અને ઓફિસોમાં કામો ચાલુ રહે તેવા બધા પ્રયાસો કરાશે. જોકે તેમ છતાં કામકાજ પર અસર પડી શકે છે.
ADVERTISEMENT
બેંકોનાં વિલિનિકરણ વિરુદ્ધ હડતાળ
તમામ બેંક યુનિયન્સ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોશિયેશન, ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન, એનસીબીઈ, એઆઈબીઓએ, બીઈએફઆઈ, આઈએનબીઈએફ, આઈબીઓસી, એનઓબીડબલ્યુ, ઓનઓબીઓ અને એઆઈએનબીઓએફ દ્વારા બે બેંકોનાં પ્રસ્તાવિત વિલય વિરુદ્ધ હડતાળની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
બજેટમાં બેંકોનાં વિલિનિકરણની જાહેરાત કરી છે
સરકારે બજેટ 2021માં બે સરકારી બેંકો અને એક ઈન્શ્યોરન્સ કંપનીનાં પ્રાઇવેટાઈઝેશનનો નિર્ણય કર્યો છે. સરકાર પહેલા જ ચાર વર્ષ દરમિયાન 14 સરકારી બેંકોનું વિલનિકરણ કરી ચૂકી છે. 2019માં સરકારે એલઆઈસી અને આઈડીબીઆઈ બેંકનો મોટાભાગનો હિસ્સો વેચ્યો હતો. હાલ દેશમાં 12 સરકારી બેંકો છે. ત્યારબાદ તેની સંખ્યા ઘટીને 10 રહી જશે. બે બેંકોનું પ્રાઇવેટાઇઝેશન 2021-22માં કરવામાં આવશે.
ADVERTISEMENT
આ દિવસો રહેશે બેંકો બંધ
આ મહિને ઘણાં દિવસો બેંકો બંધ રહેશે. 11 માર્ચે મહાશિવરાત્રી, 16 માર્ચ બાદ 21 માર્ચે રવિવારે રજા રહેશે, 22 માર્ચે બિહાર દિવસે ત્યાં રજા રહેશે, 27 માર્ચે ચોથો શનિવાર અને 28 માર્ચે રવિવાર અને 29 માર્ચે હોળીની રજા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.