બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર લાગી શકે પ્રતિબંધ, શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન
Last Updated: 03:11 PM, 5 January 2025
શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ મોબાઈલનાં કારણે આપઘાત કરે તે ગંભીર બાબત છે. તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે, સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા આગળ આવે.
ADVERTISEMENT
તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર
સુરતનાં પાંડેસરા ખાતે આવેલ આવિર્ભાવ સોસાયટીમાં ધો. 8 માં ભણતી તરૂણીને માતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા તરૂણીને લાગી આવતા તરૂણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશનાં રહેવાસી અને સુરતમાં લેબર કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરતા પરિવારની સગીરા જે ધો. 8 માં અભ્યાસ કરતી હતી. ત્યારે તરૂણીની માતા શાકભાજી લેવા ગઈ હતી. જે બાદ માતા પરત આવતા તરૂણીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ પોરબંદરમાં બની મોટી દુર્ઘટના, એરપોર્ટ પર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ, ત્રણના મોત
ગત રોજ સાંજના સુમારે તરૂણી મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે તરૂણીની માતાએ તેને ઠપકો આપ્યો હતો. અને મોબાઈલ લઈ લીધો હતો. જે બાદ તરૂણીની માતા શાકભાજી લેવા ગયા હતા. જે બાદ તેઓ પરત આવતા નાની દીકરી સૂતેલ હતી. જ્યારે બીજી દીકરી ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા તરૂણીની માતાએ બુમાબુમ કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. અને તરૂણીને 108 મારફત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.