બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / ગુજરાત / ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાયા, છતાંય સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ હજુ કેમ અધૂરું? લોકો ત્રાહિમામ
Last Updated: 11:48 PM, 10 May 2024
રોડ-રસ્તા સારા બને તો વિકાસને વેગ મળે.. આ વાતમાં તથ્ય છે.. પરંતુ વિકાસ ગોકળગાય ગતિએ થાય તો.. વાત કરીએ એ હાઇવેની જેની કામગીરી છેલ્લા એક. બે કે ત્રણ નહીં પરંતુ પુરા નવ-નવ વર્ષથી ચાલી રહી છે. આ હાઇવે છે સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે, જેનું કામ ક્યારે પુરુ થશે એ તો બસ ભગવાન જ કહી શકે તેમ છે.
ADVERTISEMENT
ઠેર-ઠેર ડાયવર્ઝન અને ઠેર-ઠેર ખાડા
અહીં ચાલી રહેલી કામગીરીના કારણે ઠેર-ઠેર ડાયવર્ઝનો મુકાયા છે.. હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે..અને વાહન ચાલકો પરેશાન છે..
ADVERTISEMENT
મહત્વની વાત તો એ છે કે, ગુજરાતમાં ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા છે.. પરંતુ આજદીન સુધી નેશનલ હાઈવેનું કામ પુરું નથી થયું.. તેમજ નેશનલ હાઈવેના નિયમોને નેવે મુકીને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે..
અકસ્માતની સંભાવના
હાલની તકે સ્થિતિ એવી છે કે, રાત્રીના સમયે એક જ પટ્ટી પર વાહનો સામ-સામે આવતા હોવાથી અવાર-નવાર અકસ્માતોની ઘટનામાં પણ વધારો થયો છે.. તેવામાં યોગ્ય અધિકારીની નિમણૂક કરી વહેલી તકે હાઈવેનું કામ પૂર્ણ કરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે..
હાઈવેનું કામ 9-9 વર્ષથી પુરું ન થાય.. અને તે દિશામાં તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરવામાં આવે તો સ્વાભાવિક રીતે સવાલો ઉઠવાના,, તેવામાં આ ગોકળગાય ગતિએ ચાલતા હાઈવેનું કામ ક્યારે પુરું થાય છે.. અને ક્યારે લોકો રાહતનો શ્વાસ લે છે તે જોવું રહ્યું..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT