બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The terror of stray dogs is increasing in Dwarka
Malay
Last Updated: 03:58 PM, 10 September 2023
Dwarka News: ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે. હાલમાં દ્વારકામાં પણ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં 2 દિવસમાં 13 જેટલા યાત્રાળુઓને હડકાયા શ્વાને બચકા ભરતા એક તરફ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
13 લોકોને શ્વાને ભર્યા બચકા
મળતી માહિતી અનુસાર યાત્રાધામ દ્વારકાના વિકાસની પોલ ખુલી છે. દ્વારકામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા તેમજ હડકાયા શ્વાનનું વધતું પ્રમાણ હવે સ્થાનિક લોકો માટે ભારે સમસ્યાનું સ્વરૂપ બની રહ્યું છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં 13 જેટલા લોકોને શ્વાને બચકા ભરતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
ARV ઇન્જેક્શનનો જથ્થો ખાલી
દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન કરડ્યા બાદની જરૂરી વેક્સિનનો જથ્થો ખતમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સરકારી હોસ્પિટલમાં ARV ઇન્જેક્શનનો જથ્થો ઘણા સમયથી ખાલી હોવાનું સામે આવતા સ્થાનિકો લાલઘુમ થઈ ગયા છે. શ્વાનનો ભોગ બનનાર આ દર્દીઓને જામનગર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે પ્રશ્ન પૂછતા હોસ્પિટલ સત્તાધીશોએ ભેદી મૌન સેવ્યું છે.
કૂતરું કરડે તો હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે, અમદાવાદના વેટરનરી સર્જન ડો. કિશોર ટ્રાન્સડિયાએ જણાવ્યું કે હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.
કૂતરું કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime