બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The sin of lover-wife cried out.! A phone and a tangled case of a husband's murder are solved, a film drama about a murder turning into a natural death.

અમદાવાદ / પ્રેમી-પત્નીનું પાપ પોકાર્યું.! એક ફોન અને પતિના મર્ડરનો ગુંચવાયેલો કેસ ઉકેલાયો, હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનું ફિલ્મી નાટક

Vishal Khamar

Last Updated: 10:39 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ગ્રામ્યનાં કણભામાં પ્રેમસબંધમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે સમગ્ર ઘટનામાં બે શખ્સોની ધરપકડ કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકની પત્નિને ફોન પર સંપૂર્ણ સ્ટોરી જણાવી હતી.

  • અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડમાં નોકરી કરતા યુવકની હત્યાનો મામલો
  • યુવકનાં મિત્રને મરણજનારની પત્નિ સાથે હતો પ્રેમસબંધ
  • હત્યા કર્યા બાદ આરોપીએ મૃતકની પત્નિને ફોન પર સંપૂર્ણ હકીકત જણાવી
  • ફોનમાં રહેલો ઓડિયો રેકોર્ડિંગમાં ફૂટ્યો પ્રેમ સબંધનો ભાંડો

મૂળ ઉત્તર પ્રદેશનાં બિલોલી ગામનાં વતની અને અમદાવાદ ખાતે દસક્રોઈ તાલુકાનાં ધામતવન ગામ ખાતે આવેલ યમુનાં એસ્ટેટમાં નોકરી કરતા હાકીમસિંહ મલખાનસિંહ યાદવ સુઈ રહ્યા હતા. તે દરમ્યાન દીપુ શાકયા તથા મરણ જનારની પત્નિએ પૂર્વ આયોજીત કાવતરૂ રચી કોઈ પણ રીત અજમાવી હાકીમસિંહનું મોત નિપજાવ્યું હતું. આ અંગે મરણ જનારનાં પિતા મલખાનસિંહ યાદવે કભણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની પત્નિ તેમજ દીપુ શાક્યાને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કીરણદેવી (મૃતકની પત્નિ)

હાકીમસિંહ તેમજ દીપુ સાથે નોકરી કરતા હોઈ મિત્ર હતા
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાકીમસિંહ મલખાનસિંહ યાદવની અને મિત્ર દીપુ રામનરેશ હાકીમસિંહનાં બાજુનાં જ ગામનો વતની હોઈ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતા.  ત્યારે દીપુ હાકીમસિંહનો મિત્ર હોઈ અવાર નવાર હાકીમસિંહનાં ઘરે આવતો જતો રહેતો હતો. તે સમય દરમ્યાન હાકીમસિંહની પત્નિ કિરણદેવી તેમજ દીપુ વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.  જે બાદ તેઓનાં પ્રેમ સબંધમાં કાંટાની જેમ ખૂંચતો હાકીમસિંહનો કાંટો કાઢી નાંખવા માટે કિરણદેવી તેમજ દીપુએ મળીને હાકીમની હત્યાનું કાવતરૂ રચ્યું હતું. ત્યારે હાકીમસિંહ રાત્રીનાં સમયે સૂઈ રહ્યો હતો. તે દરમ્યાન દીપુએ હાકીમસિંહનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. 

દીપુ શાકયા (મરણ જનારનો મિત્ર)

દીપુ તેમજ કિરણદેવીનું પ્રેમ પ્રકરણ કેવી રીતે સામે આવ્યું
હાકિમસિંહને દવાખાને લઈ ગયા બાદ તેનાં પિતાને ટેલિફોન મારફતે હાકીમસિંહનું મોત થયું હોવાની જાણ કરી હતી. જે બાદ મરણજનાર હાકીમસિંહનાં પિતાએ તેઓનાં ભાઈને તેમજ અમારા કુટુંબનાં માણસોને વાત કરેલી જે બાદ કીરણદેવીનો ફોન મારા ભત્રીજાને આપેલ જે બાદ મારા ભત્રીજાએ કીરણદેવીનાં ફોનમાં ઓડીયો ફાઈલમાં તપાસ કરતા તા. 21 નાં રોજ હત્યા કર્યા બાદ આરોપી દીપુએ મૃતકની પત્નીને ફોન પર સંપૂર્ણ સ્ટોરી જણાવી હતી. જેમાં દીપુ અને કીરણદેવી વચ્ચે થયેલ વાર્તાલાપ તમામ લોકોને સંભળાવેલ જે બાદ દીપુ તેમજ કિરણદેવીનું પ્રેમ પ્રકરણ સામે આવતા સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ