બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 31 December 2023
ADVERTISEMENT
બિગ બોસનાં વીકએન્ડ કા વારમાં આ અઠવાડિયે મુનવ્વર ફારુકી અને આયેશા ખાનનો મુદ્દો સામે આવ્યો હતો. આ વાતને લઈને સલમાન ખાને બંનેને ઠબકો આપ્યો હતો. સલમાન ખાને આયેશા ખાનને પૂછ્યું કે તે આ શોમાં શું કામ આવી હતી. આયેશાએ જણાવ્યું કે તેને મુનવ્વર પાસે થી માફી માંગવી હતી. સલમાન આ જવાબથી સંતુષ્ટ ન હતો. તેણે કહ્યું કે આ બધું શોની બહાર થવું જોઈએ. સલમાનનાં ગયા બાદ આયેશા ખાન ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી.
આયેશાની તબિયત ખરાબ થઈ
બિગ બોસનાં નવા પ્રોમોની અંદર જોવા મળી રહ્યું છે કે આયેશા રડતાં-રડતાં બેભાન થઈ જાય છે. પરિવારનાં દરેક સદસ્ય ચિંતામાં આવી ગયા હતા. નીલ ભટ્ટ અને અનુરાગ ડોભાલ તેને ઉપાડીને મેડિકલ રૂમમાં લઈ જાય છે. આ સમયે મુનવ્વર પણ રડવા લાગ્યો હતો. થોડા સમયબાદ સલમાન ઘરની અંદર આવી જાય છે. તેમના ચહેરા પર ચિંતા દેખાય રહી છે. તેઓ મેડિકલ રૂમમાં જાય છે જયાં આગળ આયેશાની સારવાર ચાલતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાંચવા જેવું: આલિયા ભટ્ટની દીકરી રાહા બાદ હવે બિપાશાની દીકરી દેવીની તસવીરો પણ વાયરલ, લાલ ડ્રેસમાં જોઈને લોકોએ કહ્યું-એકદમ બાર્બી ડોલ
ઘરની બહાર લઈ જવામાં આવી
ખાનગી અહેવાલ મુજબ આયેશા ખાનને ઘરની બહાર લઈ જવામાં આવી હતી. ત્યારે એવું જણાતું હતું કે તે બિગ બોસમાંથી બહાર જતી રહેશે પણ તે સારવાર બાદ પરત ફરી છે.
ADVERTISEMENT
આયેશા વાઈલ્ડ કાર્ડ તરીકે આવી
આયેશાએ બિગ બોસની અંદર વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે મુનવ્વર એક સાથે 'ડબલ ડેટિંગ' કરી રહ્યો હતો. તે નાજિલા અને તેની સાથે રિલેશનમાં હતો. આયેશાએ નેશનલ ટેલિવિઝન પર મુનવ્વર પાસે માફીની માંગ કરી હતી. મુનવ્વર શોમાં ઘણી વખત નાજિલાનું નામ લેતા જોવા મળ્યો હતો. જ્યારે આયેશા આવી ત્યારે તેણે કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેમના બ્રેકઅપનો મુદ્દો ટેલિવિઝન પર ઉઠાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.