બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / મનોરંજન / 27 ઇમેઇલ, 10 બેંક એકાઉન્ટ... તારક મહેતા ફેમ સોઢી પર પોલીસનો વધુ એક ખુલાસો, આખરે 3 સપ્તાહથી છે ક્યાં?
Last Updated: 09:20 PM, 10 May 2024
દેશની સૌથી લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા ઘણા દિવસથી ગુમ છે. અભિનેતાના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસને જાણવા મળ્યું કે અભિનેતા રેકી થવાના ડરને કારણે 27 જુદા જુદા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેતાને શંકા હતી કે તેના પર સર્વિલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તે વારંવાર તેના ઇમેઇલ એકાઉન્ટ્સ બદલતો હતો. અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ થયા છે. પાલમમાં રહેતા તેના પિતાનો ફોન પર સંપર્ક ન થતાં તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
26 એપ્રિલે પાલમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 365 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટીમને અભિનેતાના મોબાઈલ ફોન પરથી તેનું લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અભિનેતાનો મોબાઈલ ફોન 22 એપ્રિલે રાત્રે 9.22 વાગ્યાથી બંધ હતો. સીસીટીવી ફૂટેજના આધારે તેનું છેલ્લું લોકેશન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરી ખાતે ટ્રેસ કરવામાં આવ્યું હતું, જ્યાં તે IGI એરપોર્ટ નજીકથી ભાડે લીધેલી ઈ-રિક્ષામાં પહોંચ્યો હતો.
અભિનેતા પાસે બે મોબાઈલ ફોન હતા પરંતુ તેમાંથી એકને દિલ્હીમાં તેના ઘરે છોડી દીધો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તેનો છેલ્લો કોલ તેના મિત્રનો હતો, જે તેને મુંબઈ એરપોર્ટ પર લેવાનો હતો. પોલીસની ટીમોએ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી છે. તેઓ દર્શાવે છે કે છેલ્લો વ્યવહાર રૂ. 14,000નો હતો. ગુમ થયાના દિવસે તેણે તેના એક બેંક ખાતામાંથી આ રકમ ઉપાડી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિંહની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેની પાસે ઘણી લોન અને બાકી લેણાં હતાં.
વધુ વાંચો : રશ્મિકા મંદાના કમાણીના મામલે સલમાન ખાનથી આગળ, સિકંદરમાં શ્રીવલ્લીની એન્ટ્રીથી ભાઈજાનને ફાયદો થશે?
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ સહિત ઓછામાં ઓછી એક ડઝન પોલીસ ટીમો તેમને શોધવા માટે કામ કરી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સિંહ એક સંપ્રદાયનો અનુયાયી હતો જેના માટે તે દિલ્હીના છતરપુરમાં એક ધ્યાન કેન્દ્રની મુલાકાત લેતો હતો. પોલીસે તેને ઓળખતા સંપ્રદાયના અનુયાયીઓનાં નિવેદન લીધાં છે. અધિકારીએ કહ્યું કે પોલીસની ટીમોએ કેસ અંગે કોઈ લીડ મેળવવા માટે હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોની પણ મુલાકાત લીધી છે.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT