બ્રેકિંગ ન્યુઝ
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર એકબીજાથી જુદું અને અનોખું છે. આ પાત્રો વચ્ચે જે કેમિસ્ટ્રી છે, તેમાં દર્શકોના સૌથી વધું ફૅવરીટ હોય તો, એ જેઠાલાલ અને બબીતાની છે. તારક મહેતા બબિતાને થોડું અમથું પણ કંઈક થાય એટલે જેઠાલાલનું દિલ તૂટી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેઠાલાલ બબીતાને ખુશ કરવા માટે ચોકો મોકો ચૉકલેટ ખરીદે છે. બબીતાજીને ચોકો મોકો ચૉકલેટ ખુબ ગમે છે. તેથી જેઠાલાલ પોતાનું બધું કામ છોડી બબીતાજી માટે ચોકો મોકો ચૉકલેટ શોધવા માટે નીકળી પડે છે. આખરે જેઠાલાલને સફળતા મળી જાય છે, અને તે ચૉકલેટ લાવે છે. પરંતુ આ વચ્ચે એવું થાય છે કે, જેનાથી તેના દિલના ટુકડા ટુકડા થઈ જાય છે.

ADVERTISEMENT
થયું એવું કે, રાતના સમયે જેઠાલાલ, બબીતાજી અને ઐયરને તેણે આપેલી ચોકો મોકો ચૉકલેટ ફેંકતા જોવે છે. આ દ્રશ્ય જોઈ જેઠાલાલનું દિલ તૂટી જાય છે. અને તે પોતાના પ્રિય મિત્ર તારક મહેતાને બોલાવી તેમને પોતાનું દુઃખ શૅર કરે છે. આ દરમિયાન ઘણો ઈમોશનલ નજરે પડે છે. જેઠાલાલ ભાવુક થતા તારક મહેતાને કહે છે કે, હવે તેના જીવનમાં કઈ બચ્યું નથી અને તે ગોકુલધામ છોડવા માંગે છે.
તારક મહેતા, જેઠાલાલની તૂટેલી આશાઓ પર જોડવાના પ્રયત્નો કરે છે અને તેને કહે છે કે, તમને કોઈ ભ્રમ થયો છે. પરંતુ જેઠા પર કોઈ અસર થતી નથી. તે રડવા માંડે છે. તમને જણાવી દઈએ કે, જેઠાલાલની તૂટેલી આશાઓ પર ત્યારે જોડાય છે જયારે, તે બબીતા સાથે આખી ઘટના વિશે વાત કરે છે.
ADVERTISEMENT
બબીતા જેઠાલાલને જણાવે છે કે, તેણે જે ચોકો મોકો ચૉકલેટનો બૉક્સ આપ્યો હતો તે ઍક્સપાયર થઈ ગયો હતો. અને તે જેઠાલાલના દિલને તોડવા માંગતી ન હતી. આ કારણથી બબીતાજીએ ચુપચાપ તે બૉક્સને ફેંકવાનું નક્કી કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.