બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
જો તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો રાજ્ય સરકારની તરફથી તમને 4000 રૂપિયા આપવામાં આવશે. ખાસ કરીને તમિલનાડુ સરકારે આ રાશિ આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પદના શપથગ્રહણ સમયે એમ કે સ્ટાલિને રાશન કાર્ડ ધારકોને આ રાશિ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. કોરોનાના રાહત પેકેજના આઘારે આ રકમ આપવામાં આવી રહી છે. આ રાહત પેકેજ પર સીએમએ હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે કહ્યું હતું કે આ રાશિ કેશમાં અપાશે. તેમાં પહેલા હપ્તાની રકમ મે મહિનામાં જાહેર કરાશે અને જલ્દી જ બીજો હપ્તો પણ લાભાર્થીઓને આપવામાં આવશે.

ADVERTISEMENT
ફ્રીમાં સારવારની પણ કરી હતી જાહેરાત
સીએમએ આ સમયે જાહેરાત કરી હતી તેનાથી રાજ્યના 2.7 કરોડ લોકોને ફાયદો મળ્યો છે. આ સિવાય મુખ્યમંત્રી સ્ટાલિને જાહેરાત કરી હતી કે રાજ્યના દરેક કોરોના દર્દીને રાજ્ય કર્મચારી વીમા યોજનાના આધારે ફ્રીમાં સારવાર આપવામાં આવશે. ગયા વર્ષે સરકારે આ માટે 2500 રૂપિયાની મદદ કરી હતી.
.jpg)
ADVERTISEMENT
ગયા વર્ષે સરકારે આપ્યા હતા 2500 રૂપિયા રોકડ
આ સિવાય તમિલનાડુની સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં પોંગલની ખુશીમાં આ 2500 રૂપિયા કેશમાં આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી પલાની સ્વામીએ ચોખા લેનારા દરેક રાશન કાર્ડ ધારકો માટે 2500 રૂપિયા કેશમાં આપવાની જાહેરાત કરી હતી. આ સાથે 1 કિલો ચોખા, ખાંડ અને એક શેરડી ફ્રીમાં આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે AIADMK સરકારે 2014માં રાજ્યમાં લોકોને માટે 1 કિલો ચોખા અને 1 કિલો ખાંડની સાથે 100 રૂપિયા આપવાની શરૂઆત કરી હતી. 2018માં આ રાશિને વધારીને 1000 રૂપિયા કરાઈ છે અને મુખ્યમંત્રી પલાની સ્વામીએ તેને વધારીને 2500 રૂપિયા કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.