બ્રેકિંગ ન્યુઝ
VTV / Tamil Nadu Schools, Colleges To Open Feb 1, No Night Curfew From Tomorrow
ADVERTISEMENT
દેશમાં હવે કેટલાક રાજ્યો સ્કૂલ અને કોલેેજો શરુ કરવા લાગ્યા છે. કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા હવે શૈક્ષણિક કાર્ય શરુ કરી દેવું જોઈએ તેવી માન્યતા ધરાવતા તમિલનાડુ સરકારે સ્કૂલો ખોલવાની દિશામાં મોટી પહેલ કરી છે. તમિલનાડુની સ્ટાલિન સરકારે 1 ફેબ્રુઆરીથી તમામ ધોરણની સ્કૂલો અને કોલેજ ખોલવાની મોટી જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ 1 ફેબ્રુઆરી બાદ તમામ વિદ્યાર્થીઓ સ્કૂલે આવીને શૈક્ષણિક કાર્ય શરુ કરી શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જારી આદેશાનુસાર તમામ સ્કૂલો અને કોલેજો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને ઓફલાઈન સ્કૂલો શરુ કરી શકે છે.
Tamil Nadu Govt announces reopening of physical classes for students of standard 1 to 12 from Feb 1, decides to lift night curfew from Jan 28
— ANI (@ANI) January 27, 2022
ADVERTISEMENT
તમિલનાડુમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ પણ હટાવાયો
કોરોના પ્રતિબંધો વધારે હળવા કરતા રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી લોકડાઉન હટાવવાનો પણ નિર્ણય લીધો છે. તે ઉપરાંત રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યુ પણ હટાવવાની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
લગ્નમાં 100 વ્યક્તિઓ અને અંતિમવિધિમાં 50 લોકોને મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા જારી નવા નિયમોમાં લગ્નમાં 100 વ્યક્તિઓ અને અંતિમવિધિમાં ફક્ત 50 લોકોની હાજરીને મંજૂરી અપાઈ છે.
ADVERTISEMENT
દેશભરમાં સ્કૂલો ખોલવા સરકારે ઘડ્યો માસ્ટર પ્લાન
દેશમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતા હવે બંધ પડેલી સ્કૂલો ખોલવાની દિશામાં કેન્દ્ર સરકાર સક્રિય વિચારણા કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરીને વ્યવસ્થિત રીતે ઑફલાઇન વર્ગો માટે શાળાઓ ખોલવાના મોડલ પર કામ કરી રહી છે. વાયરસના નવા ઓમિક્રોન પ્રકાર બહાર આવ્યા પછી દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓમાં ઑફલાઇન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને કારણે વિદ્યાર્થીઓ ટૂંકા સમયગાળો સિવાય લગભગ બે વર્ષથી મોટાભાગે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી રહ્યા છે.
ADVERTISEMENT
.jpg)
વાલીઓ શાળાઓ ખોલવાની માંગ કરી રહ્યા છે
ADVERTISEMENT
સૂત્રોએ કહ્યું, 'જેમ કે વાલીઓ શાળાઓ ખોલવાની માંગ કરી રહ્યા છે, કેન્દ્ર સરકાર કોવિડ સંબંધિત તમામ પ્રોટોકોલને અનુસરીને શાળાઓ ખોલવા માટે એક મોડેલ પર કામ કરી રહી છે.'એપિડેમિયોલોજિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ ચંદ્રકાંત લહરિયા અને સેન્ટર ફોર પોલિસી રિસર્ચના અધ્યક્ષ યામિની ઐયરના નેતૃત્વમાં માતા-પિતાનું એક પ્રતિનિધિમંડળ બુધવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને મળ્યું અને 1,600થી વધુ વાલીઓ વતી હસ્તાક્ષર કરાયેલ એક મેમોરેન્ડમ સુપરત કર્યો, જેમાં શાળાઓ ફરીથી ખોલવાની માંગ હતી. અન્ય કેટલાક રાજ્યોમાં પણ આવી જ માંગણીઓ કરવામાં આવી છે, જોકે માતાપિતાનો બીજો વર્ગ ઓનલાઈન વર્ગો ચાલુ રાખવાની તરફેણમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.