બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / t20 world cup venues could be curtailed from 9 to 5 but too early to contemplate uae shift says bcci
ADVERTISEMENT
ભારતમાં વધતા કોરોના સંકટમાં બીસીસીઆઈને વિશ્વાસ છે કે ટી-20 વિશ્વ કપ ઓક્ટોબરમાં ભારતમાં થશે પણ તેને 9ને બદલે 5 શહેરમાં યોજવામાં આવી શકે છે. પરંપરા રહી છે કે આઈસીસી બેકઅપમાં વિકલ્પ તૈયાર રાખે છે અને સાથે એક વર્ષથી આ વિકલ્પ યૂએઈ છે.
આશા છે કે ભારતમાં જ થશે વિશ્વકપ
આઈપીએલ આ સમયે બાયો બબલમાં થઈ રહ્યો છે પણ બીસીસીઆઈની સામે ખાસ ચેલેન્જ હોય તો તે એ છે તે ટી-20 વર્લ્ડ કપ પ્રતિકૂળ પરિસ્થતિમાં કરાવવાની છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે અમને આશા છે કે હજુ પાંચ મહિનાનો સમય છે અને લોકોને વેક્સીન મળી રહી રહી છે તો વિશ્વકપ ભારતમાં જ યોજાશે. એવું શક્ય છે કે તેને 9 શહેરોને બદલે 5 શહેરોમાં યોજવામાં આવે.
ADVERTISEMENT
.jpg)
આઈસીસી નિરીક્ષણ દળનો પ્રવાસ થયો કેન્સલ
આઈસીસીના એક નિરીક્ષક દળે 26 એપ્રિલે દિલ્હી આવીને આઈપીએલના બાયો બબલની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું પણ ભારત યાત્રા પર લાગેલા પ્રતિબંધના કારણે આ પ્રવાસ કેન્સલ કરાયો હતો. અધિકારીએ કહ્યું છે કે આ ટીમને આ અઠવાડિયે આવવાનું હતું પણ યાત્રા પ્રતિબંધ લાગૂ થવાથી તેઓ થોડા સમય પછી આવશે.
હાલમાં યૂએઈના આયોજન પર વિચાર નહીં
આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે ટૂર્નામેન્ટ યૂએઈમાં કરાવવાનો હાલમાં કોઈ વિચાર કરાયો નથી. તેઓએ કહ્યું કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સમયે નિર્ણય લેવો ઉતાવળ ભર્યું હોઈ શકે છે. ટીમ આવી નહીં કેમકે યૂએઈથી ભારતની યાત્રા પર પ્રતિબંધ મૂકાયો છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે યૂએઈ વિકલ્પ રખાયો છે. પરંપરાના આધારે તે હંમેશા બીજો વિકલ્પ તૈયાર રહે છે.
ADVERTISEMENT
જો સ્થિતિ નહીં સુધરે તો વિકલ્પ તૈયાર
તેઓએ કહ્યું કે આઈસીસી ટૂર્નામેન્ટ માટે હંમેશા એક વિકલ્પ રહે છે અને ગયા વર્ષે આઈસીસીની બેઠકમાં નક્કી કરાયા બાદ યૂએઈ વિકલ્પ છે. ધીરજે કહ્યું કે તેમાં કંઈ નવું નથી. જો આવનારા 5 મહિનામાં સ્થિતિ સામાન્ય ન થઈ તો અન્ય યોજના તૈયાર રાખવાની રહેશે.

ADVERTISEMENT
9ને બદલે 5 શહેરોમાં થઈ શકે છે આયોજન
શ્રીલંકા, બાંગ્લાદેશ કે અન્ય દેશમાં આઈસીસી ટી-20 વિશ્વ કપ 3 કે 4 શહેરોમાં થાય છે પણ ભારતમાં બોર્ડની રાજનીતિના કારણે તે શક્ય નથી. વિશ્વ કપ 2021 અને ટી-20 વિશ્વકપ 2016ના આયોજનની સાથે જોડાયેલા બોર્ડના અધિકારીએ કહ્યું કે અહીં બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું શહેર કોલકત્તા, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લનું શહેર લખનઉ, સચિવ જય શાહનું શહેર અમદાવાદ અને કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું શહેર ધર્મશાળા છે. તેઓએ કહ્યું કે આ સિવાય મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ તો સામેલ છે જ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.