બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 07:15 PM, 13 February 2024
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ બદલતા રહે છે, જેના કારણે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય આજે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 14 માર્ચ સુધી કુંભ રાશિમાં જ રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થશે. સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરતા હોવાથી શનિ સાથે યુતિનું નિર્માણ થશે. સૂર્ય અને શનિ કુંભ રાશિમાં એકસાથે રહેશે, જેના કારણે કેટલીક રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે. નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક તથા આરોગ્ય સંબંધિત પરેશાની આવી શકે છે.
આ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે
સૂર્ય અને કુંભ એક જ રાશિમાં આવવાથી કર્ક, વૃશ્વિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકોને પરેશાની થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓને નોકરીમાં અનેક પરેશાની આવી શકે છે. કાર્યક્ષેત્રે વિવાદ સર્જાઈ શકે છે અને તણાવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. બિઝનેસ કરતા લોકોને નુકસાન થઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય કરવો. વગર કામના ખર્ચા વધી શકે છે, કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં.
આ રાશિના જાતકોને લાભ થઈ શકે છે
સૂર્યની રાશિ પરિવર્તનથી મિથુન, તુલા અને સિંહ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કામકાજમાં સારું પરિણામ મળી શકે છે. નોકરિયાત વ્યક્તિઓને સારી નોકરી માટેના પ્રસ્તાવ મળી શકે છે. અગાઉ જે પણ વિવાદ હશે તે વિવાદનું નિવારણ આવવાથી રાહત મળી શકે છે.
વધુ વાંચો: એક વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય, પૈસાથી ભરાઈ જશે આ રાશિના જાતકોના ખિસ્સાં
સૂર્યને મજબૂત કરવાના ઉપાય
સૂર્ય સંબંધિત પીળી વસ્તુઓ જેમ કે, તાંબાના વાસણ, પીળા અને લાલ કપડાં, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદનનું દાન કરો. તમારી શ્રદ્ધા અનુસાર કંઈપણ વસ્તુનું દાન કરી શકો છો. આ પ્રકારે કરવાથી કુંડળીમાં સૂર્યદોષ દૂર થશે તથા ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime