સુરત: વડતાલ સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. પોલીસે મહંત કારણ સ્વામીની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે એક મહિલાએ સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામી પર નાણાંકીય મદદની લાલચ આપીને 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે સાધુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર સુરતના ડભોલી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના મહંત પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ સ્વામિનારાયણ મંદિરના મહંત પર નાણાંકીય મદદની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે આ ઘટના મામલે સ્થાનિક પોલીસ ગુનો નોંધીને ડભોલી ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંત કારણ સ્વામીની તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે જોવું જ રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલવા પામે છે.