રસ્તા દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે હવે નવા વાહનોના રજિસ્ટ્રેશન થર્ડ પાર્ટી વીમો કરાવવો ફરજિયાચ છે. સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બરથી ચોર વ્હીલરના રજિસ્ટ્રેશનના સમયે 3 વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કર્યો છે તો ટૂ વ્હીલર માટે 5 વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કર્યો છે.
સુપ્રીમ કોર્ટે એક સમિતિને કહ્યુ કે ''ટૂ વ્હીલર અને ચોર વ્હીલરનો થર્ડ પાર્ટી વીમાને અર્નિવાય બનાવવામાં આવે જેથી રસ્તાની દુર્ઘટનામાં પીડિતોને વળતર મળી શકે અને આ સાથે જ વીમા કંપનીઓએ તેણે વ્યવાસિક હિતની જગ્યા માનવીય રીતે જોવાનું રહેશે.''
કોર્ટે જણાવ્યુ કે ભારતમાં રસ્તા દુર્ઘટનામાં દર વર્ષે 1 લાખથી વધારે લોકોની મોત થાય છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે.એસ રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી સમિતિમાં આ સિફરિશ કરી કરે ટૂ વ્હીલર અને ફૉર વ્હીલરના વેચાણ વખતે થર્ડ પાર્ટી વીમાને 1 વર્ષની જગ્યાએ ત્રણ કે પાંચ વર્ષ માટે અનિવાર્ય કરવામાં આવે.
સમિતિએ પોતાની રિપોર્ટમાં કહ્યુ કે દેશના રસ્તા પર ચાલી રહેલા 18 કરોડ વાહનોમાંથી માત્ર 6 કરોડની પાસે થર્ડ પાર્ટી વીમો છે. રસ્તા પર થયેલી દુર્ઘટના પર પીડિતો કે મૃતકોને વળતર નથી મળી રહ્યુ કેમકે વાહનો થર્ડ પાર્ટી કવર નથી કરી રહ્યા. પીઠે કહ્યુ કે ''થર્ડ પાર્ટી વીમાને ફૉર વ્હીલર માટે 3 વર્ષ અને ટૂ વ્હીલર માટે 5 વર્ષ માટે અનિવાર્ય કરવો જોઇએ.''
પીઠે આગળ કહ્યુ કે ''વીમા કંપનીઓએ આ મુદ્દાને માનવીય રીતે જોવું જોઇએ ન તો વ્યવાસિક હિતોના દ્રષ્ટિકોણથી જેણે 2-3 અઠવાડિયાના સમયમાં કવર કરે. ભારતમાં એ લોકોને જુઓ જે રસ્તાની દુર્ઘટનામાં મરી રહ્યા છે અને વળતર નથી મળી રહ્યુ કેમકે વીમા કંપનીઓને ખૂબ જ સમય લગાવી રહી છે.''