બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:50 PM, 29 December 2025
સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય બાદ ઉન્નાવ રેપ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આ કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા પૂર્વ ભાજપા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને મળેલી રાહત પર હવે ફરીથી કાનૂની બ્રેક લાગી ગઈ છે. દિલ્હી હાઇકોર્ટે ગયા અઠવાડિયે સેંગરની સજા પર રોક લગાવી શરતી જામીન આપ્યા હતા, પરંતુ સીબીઆઈએ આ નિર્ણયનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર સ્ટે લગાવતા સેંગર પરિવારની આશાઓને મોટો આઘાત પહોંચ્યો છે.
ADVERTISEMENT

આ નિર્ણય પછી કુલદીપ સેંગરની નાની દીકરી ઇશિતા સેંગરે સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક અને લાંબી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે માત્ર પોતાની વ્યથા જ નહીં પરંતુ છેલ્લા આઠ વર્ષથી પોતાનો પરિવાર જે માનસિક, સામાજિક અને ભાવનાત્મક સંઘર્ષ સહન કરી રહ્યો છે, તેનો પણ ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો છે. ઇશિતાના શબ્દોમાં સ્પષ્ટ દેખાય છે કે આ નિર્ણયે તેના ન્યાય પરના વિશ્વાસને ગંભીર રીતે હચમચાવી દીધો છે.
ADVERTISEMENT
To
— Dr Ishita Sengar (@IshitaSengar) December 29, 2025
The Hon’ble Authorities of the Republic of India,
I am writing this letter as a daughter who is exhausted, frightened, and slowly losing faith, but still holding on to hope because there is nowhere else left to go.
For eight years, my family and I have waited. Quietly.…
ઇશિતાએ લખ્યું છે કે તે આ શબ્દો એક દીકરી તરીકે લખી રહી છે, જે થાકી ગઈ છે, ડરી ગઈ છે અને ધીમે ધીમે પોતાનો વિશ્વાસ ગુમાવી રહી છે, છતાં પણ હજુ ક્યાંક આશાનો દીવો જળવાઈ રાખે છે કારણ કે હવે તેની પાસે જવાની કોઈ બીજી જગ્યા બચી નથી. તેણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષથી તેમનો પરિવાર શાંતિથી, ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો હતો, એ માન્યતા સાથે કે જો તેઓ બધું યોગ્ય રીતે કરશે તો અંતે સત્ય પોતે બહાર આવશે.
ADVERTISEMENT
તેના અનુસાર, તેમના પરિવારે કાયદા પર, બંધારણ પર અને ન્યાયિક વ્યવસ્થા પર વિશ્વાસ રાખ્યો. તેમણે ક્યારેય રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યા નહીં, ન તો મીડિયા સામે શોર મચાવ્યો અને ન જ સોશિયલ મીડિયા પર હેશટેગ ચલાવ્યા. તેમનો વિશ્વાસ હતો કે આ દેશમાં ન્યાય કોઈ જનઉન્માદ કે ટ્રેન્ડ પર આધારિત નથી, પરંતુ પુરાવા અને પ્રક્રિયા પર આધારિત છે.
ઇશિતાએ પોતાની પોસ્ટમાં એ પણ લખ્યું કે તેના શબ્દો સાંભળવામાં આવે તે પહેલાં જ તેની ઓળખને એક જ લેબલમાં સીમિત કરી દેવામાં આવે છે—એક ભાજપા ધારાસભ્યની દીકરી તરીકે. તેના મતે, આ લેબલ તેના માનવત્વને નકારી દે છે અને જાણે તેને નિષ્પક્ષતા, સન્માન અને પોતાની વાત કહેવાનો અધિકાર પણ છીનવી લે છે. તેણે દુઃખ વ્યક્ત કર્યું કે જે લોકોએ ક્યારેય તેને મળી નથી, કોઈ દસ્તાવેજ વાંચ્યો નથી કે કોઈ કોર્ટ રેકોર્ડ જોયો નથી, તેઓએ પહેલેથી જ નક્કી કરી લીધું છે કે તેના જીવનનું કોઈ મૂલ્ય નથી.
ADVERTISEMENT
પોસ્ટમાં ઇશિતાએ સોશિયલ મીડિયા પર મળેલી ભયાનક નફરતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું કે વર્ષોથી તેને બળાત્કાર કરવાની, મારી નાખવાની અને ફક્ત તેના અસ્તિત્વ માટે સજા આપવાની ધમકીઓ મળતી રહી છે. આ નફરત કલ્પનાત્મક નથી, પરંતુ રોજબરોજની હકીકત છે. જ્યારે તમને સતત એ અનુભૂતિ થાય કે ઘણા લોકો માને છે કે તમે જીવવા લાયક નથી, ત્યારે એ તમને અંદરથી તોડી નાંખે છે.
ઇશિતાના શબ્દોમાં, તેમણે મૌન પસંદ કર્યું કારણ કે તેઓ શક્તિશાળી નહોતા, પરંતુ કારણ કે તેઓ સંસ્થાઓમાં વિશ્વાસ રાખતા હતા. તેમનું માનવું હતું કે સત્યને કોઈ તમાશાની જરૂર નથી. પરંતુ આ મૌનની કિંમત તેમને ભારે પડી છે. તેણે લખ્યું કે આઠ વર્ષ સુધી દરરોજ તેમનું અપમાન થયું, મજાક ઉડાવવામાં આવી અને અમાનવીય વ્યવહાર સહન કરવો પડ્યો. એક ઓફિસથી બીજી ઓફિસ દોડતા, અરજીઓ લખતા અને પોતાની વાત સાંભળાવાની વિનંતી કરતા તેઓ આર્થિક, ભાવનાત્મક અને શારીરિક રીતે તૂટી ગયા છે.
ADVERTISEMENT
ઇશિતાએ સવાલ ઉઠાવ્યો છે કે જો તેઓ વાસ્તવમાં શક્તિશાળી હોત, તો શું તેઓ આઠ વર્ષ સુધી આ રીતે ચુપચાપ સહન કરતા? તેના અનુસાર, તેઓ એવી વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા રહ્યા જે તેમના અસ્તિત્વને પણ સ્વીકારવા તૈયાર નહોતી, જ્યારે રોજબરોજ તેમના નામને બદનામ કરવામાં આવતું રહ્યું. એક એવો ભય ઉભો કરવામાં આવ્યો કે કોઈ જજ, પત્રકાર કે સામાન્ય નાગરિક તેમની સાથે ઊભા રહેવાની હિંમત ન કરી શકે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની વનડે ટીમમાંથી OUT થઇ શકે છે આ 3 દિગ્ગજ સ્ટાર ખેલાડી
પોસ્ટના અંતમાં ઇશિતાએ લખ્યું છે કે પિતાની સાથે આ બધું બનતું જોવું અત્યંત દુખદાયક છે. જો ગુસ્સો અને ખોટી માહિતી સરળતાથી સત્યને દબાવી શકે, તો તેમના જેવા સામાન્ય નાગરિકો માટે શું બચે છે? જો જનઉન્માદ અને દબાણ પુરાવા અને કાનૂની પ્રક્રિયા પર હાવી થવા લાગે, તો એક સામાન્ય વ્યક્તિને ખરેખર કેટલી સુરક્ષા મળે? તેણે સ્પષ્ટ કર્યું કે તે આ પત્ર સહાનુભૂતિ મેળવવા કે કોઈને ધમકાવવા માટે નથી લખી રહી, પરંતુ કારણ કે તે ડરી ગઈ છે અને છતાં હજુ પણ આશા રાખે છે કે ક્યાંક કોઈ તો તેની વાત સાંભળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.