બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 AM, 27 February 2024
વિરાટ કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રમી નથી રહ્યા. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, વિરાટકોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ શકે છે. IPL 22 માર્ચથી શરૂ થશે. પહેલી મેચ ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમવામાં આવશે.
ADVERTISEMENT
સુનીલ ગાવસ્કરનું નિવેદન
વિરાટ કોહલીને પહેલી ભારતીય ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હૈદરાબાદમાં મેચ રમવામાં આવે તે પહેલા જ કોહલી ટીમમાંથી હટી ગયા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમની બીજા બાળકના જન્મ વિશે જણાવ્યું હતું. સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, ‘વિરાટ કોહલી અંગત કારણોસર મેચ નથી રમી રહ્યા, કદાચ તેઓ IPLમાં પણ નહીં રમે.’
વધુ વાંચો: IND vs ENG: 22 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ જગતમાં આ સમય આવ્યો, ધ્રુવ જુરેલે સર્જ્યો ઇતિહાસ
ADVERTISEMENT
ધ્રુવ જુરેલ સુપરસ્ટાર બની શકે છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ધ્રુવ જુરેલ 90 અને 39 રન સાથે અણનમ રહ્યો હતો. આ મેચમાં શાનદાર બેટીંગ કરવા માટે ધ્રુવ જુરેલે મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. સુનીલ ગાવસ્કરે જણાવ્યું છે કે, ‘વિકેટકીપર અને બેટ્સમેન ધ્રુવ જુરેલ રાજસ્થાન રોયલ્સ માટે રમશે અને તેઓ IPL સુપરસ્ટાર બની શકે છે. ધ્રુવ જુરેલને બેટીંગમાં પ્રમોટ કરવામાં આવી શકે છે. ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી જુરેલ IPL સુપરસ્ટાર બની શકે છે. આકાશદીપને RCBમાં વધુ ચાન્સ મળી શકે છે અને ડેથ ઓવરમાં સારું પ્રદર્શન કરી શકે છે.’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.