બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Parth
Last Updated: 12:27 PM, 10 December 2023
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરનારા શૂટર્સની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમને ખબર નહોતી કે સુખદેવ સિંહ ગોગામેડી છે કોણ? આરોપીઓએ પોલીસને જાણકારી આપી છે કે જે દિવસે હત્યા કરવામાં આવી તે જ દિવસે ફોટો બતાવવામાં આવ્યો હતો.
#WATCH | Delhi: The accused in the Sukhdev Singh Gogamedi murder case brought to the Crime Branch Office. https://t.co/oPuhcesScg pic.twitter.com/ynTa1HUkzN
— ANI (@ANI) December 9, 2023
કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે કેનેડામાં બેઠા બેઠા હત્યાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
કેનેડામાં છે રોહિત ગોદારા?
ગોગામેડીની હત્યા કરનારા બે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ગઇકાલે મોડી રાતે જોઇન્ટ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર હત્યાનો માસ્ટરમાઇન્ડ તો રોહિત ગોદારા હોવાનું સામે આવ્યું છે. આશંકા છે કે રોહિત ગોદારા અત્યારે કેનેડામાં રહે છે. સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે જોડાયેલા ગોલ્ડી બરાડ તથા લૉરેન્સ બિશનોઈ સાથે રોહિત ગોદારા સંપર્કમાં છે. રોહિત ગોદારાએ હત્યા કરવાની જવાબદારી વીરેન્દ્રને સોંપી હતી અને વીરેન્દ્રએ નીતિન ફૌજી તથા રોહિત રાઠોડને સોપારી આપી હતી.
#WATCH | Delhi: Visuals from the Crime Branch Office where the accused in the Sukhdev Singh Gogamedi murder case was brought earlier. pic.twitter.com/A6eXC5aNHp
— ANI (@ANI) December 10, 2023
સુખદેવ સિંહે બળાત્કારનો કેસ નોંધાવ્યો ત્યારથી જ લેવો હતો બદલો
વીરેન્દ્ર ચરણ અને ગોદારાની મુલાકાત રાજસ્થાનની એક જેલ માં થઈ હતી. સૂત્રો અનુસાર સુખદેવ સિંહ ગોગામેડીએ એક મહિલાને ન્યાય અપાવવા માટે રોહિત ગોદારા સામે બળાત્કારનો કેસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, ત્યારથી જ ગોદારાને બદલો લેવો હતો. જેલમાં જ વીરેન્દ્ર ચરણ અને રોહિત ગોદારાએ હત્યાનો પ્લાન બનાવ્યો.
#WATCH | Delhi Special CP (Crime), Ravindra Yadav says, " National president of Rashtriya Rajput Karni Sena Sukhdev Singh Gogamedi was shot dead on 5th December, in connnection with that 3 accused have been arrested by crime branch...we were tracking them continuosly, we… https://t.co/7WP0rzWM3R pic.twitter.com/soDXXk8PQv
— ANI (@ANI) December 10, 2023
ફિલ્મ જોઈને હત્યા કરવા આવ્યા હતા રોહિત રાઠોડ અને નીતિન
આટલું જ નહીં આ હત્યારાઓ આરામથી એનિમલ મૂવી જોઈને આવ્યા હતા હતા અને કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશનોઈ ગેંગના વીરેન્દ્રએ આ હત્યારાઓએ ગોગામેડીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વીરેન્દ્રએ નીતિનને આ સોપારી આપી હતી અને નીતિન કહી રહ્યો છે કે તેને એ વાતની ખબર નહોતી કે સુખદેવ સિંહ કોણ હતા, એ લોકોએ ફોટો જોયો અને હત્યાને અંજામ આપી.
#WATCH | Sukhdev Singh Gogamedi murder case | Malkit Singh, SHO Sector 11, Chandigarh says, "We have received info that Delhi Police (Crime Branch) have arrested some people from here. We are verifying all the details..." https://t.co/B8BBT1IHwc pic.twitter.com/rQ4aw2Stn9
— ANI (@ANI) December 10, 2023
સોપારી આપનાર વીરેન્દ્ર પહેલેથી જ શૂટર્સના સંપર્કમાં હતો અને નીતિન તથા રોહિત રાઠોડને આ હત્યાકાંડ કરવા માટે ટાસ્ક આપ્યો હતો.
હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરમાં હતો આક્રોશ
નોંધનીય છે કે ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાન સહિત દેશભરના ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ હતો. રાજસ્થાનમાં તો હજારો યુવાનોએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ કર્યો હતો. આજે પણ લોકો આ હત્યારાઓનું એન્કાઉન્ટર કરી દેવાની માંગ કરી રહ્યા છે ત્યારે હત્યારાઓને પકડવા માટે રાજસ્થાન પોલીસે ખાસ ટીમની રચના કરી હતી. રાજસ્થાન ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના એક જોઇન્ટ ઓપરેશનમાં મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પાંચમી ડિસેમ્બરે જ્યારે ગોગામેડી જયપુરમાં પોતાના આવાસમાં બેઠા હતા ત્યારે જ હત્યારાઓએ ગોળીઓથી તેમની ઘાતકી હત્યા કરી હતી. હત્યાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા હતા. ગોગામેડી અગાઉ ઘણીવાર કહી ચૂક્યા હતા કે મારા જીવને જોખમ છે, તેમ છતાં રાજસ્થાન સરકાર દ્વારા કોઈ જ સુરક્ષા આપવામાં નહોતી, જેના કારણે તેમના પત્નીએ રાજ્ય સરકારના મોટા અધિકારીઓ તથા તે સમયના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે પણ ફરિયાદ નોંધાવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો