બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Subhash Chandra Bose birth anniversary Even today the story behind his death is tangled

પરાક્રમ દિવસ / સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિ: આજેય તેમના મોત પાછળની કહાની છે ગૂંથાયેલી, ખુદ INAએ કર્યો હતો દુર્ઘટનાનો ઇનકાર

Published By: Megha

Last Updated: 01:33 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 જાન્યુઆરી 1897ના રોજ જન્મેલ સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની આઝાદીમાં હીરોની ભૂમિકા ભજવી હતી પરંતુ નેતાજીના મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.

  • સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝને કોઈ ઓળખની જરૂર નથી.
  • નેતાજીએ તેમનું સમગ્ર જીવન દેશની સેવામાં વિતાવ્યું હતું. 
  • નેતાજીના સુભાષચંદ્ર બોઝના મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. 

આપણા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને આઝાદ કરાવવામાં પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું. તેમાંથી એક છે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ, નેતાજીને કોઈ ઓળખની જરૂર નથી. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. શ્રીમંત બંગાળી પરિવારના બોઝને સાત ભાઈઓ અને છ બહેનો હતા. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું.

Subhash Chandra Bose Jayanti 2021 : સુભાષચંદ્ર બોઝના યાદગાર પલાયનનો  તથ્યપૂર્ણ ઘટનાક્રમ | Vtv Exclusive Subhash Chandra Bose Jayanti 2021

નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમનું સમગ્ર જીવન દેશની સેવામાં વિતાવ્યું હતું. તેઓ એવા સમયે હીરો તરીકે ઉભરી આવ્યા જ્યારે દેશ આઝાદીની લડાઈ લડી રહ્યો હતો. તેમણે જ અંગ્રેજોની ગુલામીને ફગાવીને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. જે બાદ નેતાજીએ ભારતની આઝાદીમાં હીરોની ભૂમિકા ભજવી હતી પરંતુ નેતાજીના મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. 

જો સરકારી દસ્તાવેજોનું માનીએ તો 18 ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન દુર્ઘટનામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું અવસાન થયું હતું. અહેવાલોનું માનીએ તો, દુર્ઘટના સમયે તેઓ વિમાનમાં મંચુરિયા જઈ રહ્યા હતા. તે વિમાન રસ્તામાં ગાયબ થઈ ગયું. ઘણી શોધખોળ બાદ પણ પ્લેન વિશે કશું જ મળી શક્યું નથી. આવા સંજોગોમાં આ એક અકસ્માત હતો કે હત્યાનું કાવતરું હતું તે પ્રશ્ન હજુ પણ ઉઠી રહ્યો છે.

આ દુર્ઘટના બાદ જાપાનની એક સંસ્થાએ 23 ઓગસ્ટના રોજ સમાચાર જાહેર કર્યા હતા. આ સમાચારમાં એવું કહેવામાં આવ્યું હતું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું વિમાન તાઈવાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તે જ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. તે સમયે આ સમાચાર બધાને સાચા લાગતા હતા, પરંતુ થોડા સમય પછી જાપાન સરકારે પોતે પુષ્ટિ કરી હતી કે તે દિવસે તાઇવાનમાં ત્યાં કોઈ વિમાન ક્રેશ થયું નહતું. આ નિવેદન બાદ ફરી એક આ સવાલો ઉઠવા લાગ્યા છે કે જ્યારે અકસ્માત જ નથી થયો તો નેતાજી ક્યાં ગયા?

વધુ વાંચો: બાપ રે... કેન્દ્ર સરકારના માથે કુલ 159 લાખ કરોડનું દેવું! RTIમાં ચોંકાવનારો ખુલાસો

આજે પણ નેતાજીના સમર્થકો માને છે કે તેઓ આઝાદી સમયે જીવિત હતા, પરંતુ આજ સુધી આ વાતનો કોઈ પુરાવો મળ્યો નથી. આ જ કારણ છે કે 1945માં વિમાન દુર્ઘટના વખતે નેતાજી સાથે શું થયું તે આજે પણ એક રહસ્ય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Subhas Chandra Bose Subhash Chandra Bose Death Mystery netaji subhas chandra bose નેતાજી સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ subhash chandra bose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ