બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 09:42 AM, 15 November 2023
પોલીસની કડક કામગીરીના દાવા વચ્ચે ભાવનગર શહેરમાં પોલીસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા કુંભારવાડામાં અથડામણની ઘટના સામે આવી હતી. ફટાકડા ફોડવા જેવી નજીક બાબતે જૂથ અથડામણ થતા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેવામાં કુંભારવાડા બાદ હવે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં લીમડીવાળી રોડ પાસે પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેને લઈને વિસ્તારવાસીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
પથ્થરમારની આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા
કરચલીયા પરા વિસ્તારમાં બે અલગ અલગ સમુદાય વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રથમ બન્ને સમુદાયમાં નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં વાત વણસી જતા ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. બે સમુદાયના લોકો સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના બની હતી. આ મામલે જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પથ્થરમારની આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા બની હતી અથડામણની ઘટના
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા અથડામણની ઘટના સામે આવી હતી. ફટાકડા ફોડવા જેવી નજીક બાબતે બંને જૂથના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત વાતમાં મામલો બીચકાતા સામસામે હુમલો થયો હતો. આ અથડામણમા ગોપાલ ચુડાસમા નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર એક ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર કારગત ન નિવડતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. બોરતળાવ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. તો હત્યારા જ્યા સુધી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime