બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકાએ માન્યું કે પાકિસ્તાનનો નિર્ણય ખોટો, ભારત સાથે નહીં રમવા મુદ્દે જાણો શું કહ્યું?
Last Updated: 04:02 AM, 6 February 2026
શ્રીલંકાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ભારત સામે ન રમવાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા રિકવેસ્ટ કરી છે. PCB ને લખેલા પત્રમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) ના પ્રમુખ શમ્મી સિલ્વાએ પાકિસ્તાન દ્વારા ભારત સામે રમવાનો ઇનકાર કરવાથી થઈ શકે તેવા નકારાત્મક પ્રભાવોની ચર્ચા કરી હતી. આ પત્રમાં સિલ્વાએ શ્રીલંકાના અર્થતંત્રને સંભવિત નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. ICC શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીએ રમાવાની છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ મુજબ, શમ્મી સિલ્વાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાથી આર્થિક નુકસાન થશે. જેમાં તેમને ચિંતા વ્યક્ત કરી હતી કે, ભારત સાથે મેચ ન રમવાથી દૂરગામી પરિણામો આવશે, જેમાં આર્થિક નુકસાન, ટુરિઝમ સેક્ટરને આંચકો અને શ્રીલંકાના અર્થતંત્રને નુકસાનનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
જેમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને યાદ અપાવ્યું કે, કેવી રીતે તેની ટીમે પડકારજનક પરિસ્થિતિઓ છતાં પાકિસ્તાનને સપોર્ટ આપ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ અમુક શ્રીલંકન પ્લેયર્સ તેમના દેશમાં પાછા ફરવા માંગતા હતા પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કડક આદેશ આપીને તેના પ્લેયર્સ પાકિસ્તાનમાં સિરીઝ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. શમ્મી સિલ્વાએ PCB તરફથી પણ આવા જ સહયોગની આશા વ્યક્ત કરી હતી. SLCએ ખેલાડીઓને તેમના દેશમાં યોજાનારી T20 વર્લ્ડ કપ મેચો માટે સુરક્ષાની ખાતરી પણ આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ અંગે કહ્યું છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મેચો માટે મેદાનમાં હાજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.