બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / આખરે પૃથ્વી શૉને ભાન પડી ગઈ! આ કારણે કરિયર બર્બાદ થયું હોવાની કરી કબૂલાત, ખુલાસો શીખભર્યો
Last Updated: 12:06 AM, 26 June 2025
સ્ટાર બેટ્સમેન પૃથ્વી શોને ભારતીય ટીમનો નવો સુપરસ્ટાર માનવામાં આવતો હતો પરંતુ હાલમાં તે ભારતીય ટીમમાં ક્યાંય દેખાતો નથી. તે ઘરેલુ ટીમમાં સ્થાન મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે. રણજી ટ્રોફી દરમિયાન, તેને મુંબઈની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને થોડા મહિનાઓ પછી તેને વિજય હજારે ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો.
ADVERTISEMENT

તે જ સમયે, છેલ્લા કેટલાક મહિનાઓથી, અનુભવી ખેલાડીઓ પૃથ્વી શોના કરિયર અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમય પછી, પૃથ્વી શોએ પોતાની કરિયર અંગે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તેનું ધ્યાન બીજે વાળવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પૃથ્વી શોએ 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. તે સમયે રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પૃથ્વી શો સચિન તેંડુલકર, બ્રાયન લારા અને વીરેન્દ્ર સેહવાગનું મિશ્રણ છે. ગયા વર્ષે, આઈપીએલ 2025 ની મેગા હરાજીમાં શોને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. તે વેચાયો ન હતો અને તે પછી કોઈ ટીમે તેને રિપ્લેસમેન્ટ તરીકે પણ પસંદ કર્યો ન હતો.

ADVERTISEMENT
પૃથ્વી શોએ કહ્યું, "ઘણી બધી બાબતો છે.કારણ કે મને ખબર છે કે શું થયું છે. હું સમજી શકું છું. મેં જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લીધા છે.મેં ક્રિકેટને ઓછો સમય આપવાનું શરૂ કર્યું . હું ખૂબ પ્રેકિટસ કરતો હતો. ઉદાહરણ તરીકે, હું નેટમાં 3-4 કલાક બેટિંગ કરતો હતો. બેટિંગ કરતી વખતે મને ક્યારેય થાક લાગતો ન હતો. હું અડધો દિવસ જમીન પર રહેતો હતો. હું સ્વીકારું છું કે ધ્યાન બીજી તરફ ગયું છે."
આ પણ વાંચો : હવે સલમાન ખાનને લાગ્યો ક્રિકેટનો ચસ્કો! શાહરુખની જેમ ખરીદી ટીમ
ADVERTISEMENT
તેમણે વધુમાં ઉમેર્યું, "ત્યારબાદ મેં જે જરૂરી નહોતું તેને મહત્વપૂર્ણ માનવા માંડ્યું. મેં કેટલાક ખોટા મિત્રો બનાવ્યા. કારણ કે તે સમયે હું મુશ્કેલીમાં હતો. મિત્રતા બને છે. પછી તેઓ મને અહીં અને ત્યાં લઈ ગયા. તે બધી બાબતો. પછી હું પાટા પરથી ઉતરી ગયો. હું જમીન પર 8 કલાક પ્રેકિટસ કરતો હતો. હવે તે 4 કલાક થઈ ગયા છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.