બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB સામે થશે કોઈ મોટી કાર્યવાહી? BCCI આ તારીખે નિર્ણય લેશે, આવી મોટી અપડેટ

ક્રિકેટ / RCB સામે થશે કોઈ મોટી કાર્યવાહી? BCCI આ તારીખે નિર્ણય લેશે, આવી મોટી અપડેટ

Vidhata Gothi

Last Updated: 10:15 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: 3 જૂને RCB પહેલીવાર IPL ચેમ્પિયન બન્યું. 4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિકટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન નાસભાગ મચી ગઈ અને 11 લોકોએ જીવ ગુમાવ્યા. એવામાં હવે BCCI એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

BCCI Apex Council Meeting: IPL 2025નો ખિતાબ RCB ટીમે જીત્યો, પરંતુ આ ઐતિહાસિક જીત પછી, તેમની જીતની ઉજવણી સવાલોમાં ઘેરાઈ ગઈ. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તાજેતરમાં થયેલી નાસભાગની ઘટના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ગંભીર પગલાં લેવા મજબૂર થવું પડ્યું છે. આ ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને 56 લોકો ઘાયલ થયા હતા. એવામાં BCCI આવી ઘટના ફરી ન બને તે માટે મોટા નિર્ણયો લેવા જઈ રહ્યું છે.

થશે BCCIની બેઠક

આ દુર્ઘટના પછી, BCCI તેની 28મી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં જીતની ઉજવણી માટે માનક માર્ગદર્શિકા તૈયાર કરવા અંગે ચર્ચા કરવા જઈ રહ્યું છે. આ બેઠક શનિવારે યોજાશે, જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે, ગયા બુધવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારે ભીડ ભેગી થયા પછી અફરાતફરી મચી ગઈ, સ્ટેડિયમ અને તેની આસપાસ લગભગ અઢી લાખ ચાહકો તેમના મનપસંદ ક્રિકેટ સ્ટાર્સને જોવા માટે ભેગા થયા હતા. આ ભીડે નાસભાગનું સ્વરૂપ લીધું, જેના કારણે આ દુ:ખદ ઘટના બની હતી.

Vtv App Promotion

BCCIએ સ્વીકાર્યું છે કે આ ઇવેન્ટનું મેનેજમેન્ટ વધુ સારી રીતે કરી શકાયું હોત. હવે આ ઘટનાને ગંભીરતાથી લેતા, બોર્ડે આ મુદ્દાને તેની આગામી બેઠકના એજન્ડામાં સામેલ કર્યો છે. BCCIના સૂત્રને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું કે 'શનિવારની બેઠકમાં, IPL માં જીતની ઉજવણીના આયોજન માટે સ્પષ્ટ અને સલામત માર્ગદર્શિકા બનાવવા પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવશે.' આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ચાહકોની સલામતી અને આવા કાર્યક્રમોમાં વધુ સારી રીતે ભીડ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવાનો રહેશે.

આ પણ વાંચો: ICC રેન્કિંગમાં ઉથલપાથલ, તિલક વર્મા અને જોસ બટલરને ફાયદો, સૂર્યાને થયું નુકસાન

ભારત-ન્યુઝીલેન્ડ સીરીઝ પર પણ લેવામાં આવશે નિર્ણય

આ બેઠકમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી ક્રિકેટ સીરીઝ માટે સ્થળોની પસંદગી પર પણ વિચાર કરવામાં આવશે. આ સીરીઝ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, અને તેના માટે યોગ્ય મેદાન પસંદ કરવાનું BCCI ની પ્રાથમિકતા રહેશે.

એક અન્ય મુદ્દો જે બેઠકમાં ઉઠાવવામાં આવશે, એ છે એજ વેરિફિકેશન પ્રોસેસની સમીક્ષા. BCCI નો આ પ્રયાસ એજ ગ્રુપ ક્રિકેટમાં, ખાસ કરીને અંડર-16 (છોકરાઓ) અને અંડર-15 (છોકરીઓ) માં વય-છેતરપિંડી અટકાવવાનો છે. બોર્ડ આ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર વિચાર કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru stampede Cricket News BCCI Apex Council Meeting
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ