બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / જાડેજાએ કેવી રીતે લીધો CSK છોડવાનો નિર્ણય? સ્ટાર ઓલરાઉન્ડરે કર્યો મહત્વપૂર્ણ ખુલાસો
Last Updated: 11:47 AM, 23 November 2025
Ravindra Jadeja: ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 2008 માં રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે આઈપીએલ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તે એક દાયકાથી વધુ સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો.
ADVERTISEMENT
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આઇપીએલ 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સને રૂપિયા 14 કરોડમાં ટ્રેડ કરાયો છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા પછી રવિન્દ્ર જાડેજાનું નિવેદન હવે પહેલી વાર સામે આવ્યું છે. જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ છોડવાનું મન કેમ બનાવ્યુ તે જણાવ્યુ. તેણે કહ્યું કે રોયલ્સ સાથે જોડાવાની ઓફર મળતાની તેને લાગ્યું કે ઘર વાપસી થઇ રહી છે.

ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવા અંગે નિવેદન
રવિન્દ્ર જાડેજા વિશે એક રાજસ્થાન રોયલ્સે એક વિડિઓ શેર કર્યો. આ વિડિઓમાં તેમણે કહ્યુ કે 15 વર્ષ પછી રાજસ્થાન પાછા ફરવું એ ઘર વાપસી જેવુ લાગે છે. જ્યાંથી મેં મારી સફર શરૂ કરી હતી ત્યાં પાછા આવી સારું લાગે છે. આ ટીમમાં જ મને "રોકસ્ટાર" ઉપનામ મળ્યું. અહીં પાછા આવીને બમણી ખુશી છે.
ADVERTISEMENT

જાડેજાએ સમજાવ્યું કે રોયલ્સ સાથે ટ્રેડની શરૂઆત સહ-માલિક મનોજ બડાલે સાથેના ફોનથી શરૂ થઇ, ત્યારબાદ કુમાર સંગાકારા સાથે વાત થઇ. બંને સાથે વાત કર્યા પછી જાડેજાએ આ નિર્ણયથી આરામદાયક અનુભવ કર્યો. જાડેજાએ ટ્રેડ વિશે વધુ ચર્ચા કરતા કહ્યું, "જ્યારે મને ખબર પડી કે રાજસ્થાન રોયલ્સ મને સાઇન કરવા માંગે છે, ત્યારે મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે મને મારી સફર જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં પાછા જવાની તક મળી રહી છે. આ તે જ સ્થાન છે જ્યાં રવિન્દ્ર જાડેજા આગળ આવ્યા હતા."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.