બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : ભારતીય ટીમે ઉજવ્યો દિવાળીનો તહેવાર, ક્રિકેટરો આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યો તહેવાર
Last Updated: 09:42 PM, 22 October 2025
ટીમ ઈન્ડિયાના કપ્તાન શુભમન ગિલ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝનું નેતૃત્વ કરી રહ્યા છે. પહેલી મેચમાં હાર છતાં ખેલાડીઓએ દિવાળીનો તહેવાર ખાસ અંદાજમાં મનાવ્યો. પહેલી મેચ દિવાળીના એક દિવસ પહેલાં એટલે કે 19 ઓક્ટોબરે રમાઈ હતી, જેમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ બીજા જ દિવસે જ્યારે આખો દેશ દિવાળીના ઉજાસમાં ઝળહળી રહ્યો હતો, ત્યારે ભારતીય ટીમે પણ ઓસ્ટ્રેલિયામાં અનોખી રીતે તહેવાર મનાવ્યો.
ADVERTISEMENT
EXCLUSIVE: The passion of Adelaide’s Indian cricket fans is only matched by the star-studded team's love for a Torrensville restaurant where they eat every tour before a match. #7NEWS pic.twitter.com/P5mf9YyulQ
— 7NEWS Adelaide (@7NewsAdelaide) October 22, 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિયો પ્રમાણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટોર્રેનવીલ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચ્યા હતા. આ રેસ્ટોરન્ટ એડિલેડમાં ખૂબ ફેમસ છે અને જ્યારે પણ ટીમ ઈન્ડિયા અહીં રમવા આવે છે, ત્યારે ખેલાડીઓ અહીં જ ભોજન કરવા આવતાં હોય છે. જ્યારે સ્થાનિક ફેન્સને ખબર પડી કે શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતની ટીમ અહીં પહોંચી છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રશંસકો રેસ્ટોરન્ટની બહાર એકઠા થઈ ગયા. ખેલાડીઓએ પણ ફેન્સને સ્માઈલ અને હેન્ડશેકથી શુભેચ્છા આપી.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી.શુભમન ગિલે લખ્યું, તમારા જીવનમાં પ્રકાશ, હાસ્ય અને પ્રેમ ભરાયેલી દિવાળી રહે., વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી જેમાં લખેલું હતું, હેપ્પી દિવાળી! આ તહેવાર તમારા ઘર અને હૃદયમાં ખુશી અને આશીર્વાદ લાવે.
આ પણ વાંચોઃ ક્રિકેટ / એશિયા કપ ટ્રોફી પર BCCIએ એવો નિર્ણય કર્યો કે, મોહસીન નકવીની શાન ઠેકાણે આવશે
ADVERTISEMENT
19 ઓક્ટોબરે રમાયેલી પહેલી વનડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી હરાવ્યું. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 26 ઓવરમાં 136/9 રન બનાવી શકી હતી. DLS નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 131 રનનો લક્ષ્યાંક મળ્યો જે તેમણે સરળતાથી મેળવી લીધો. વિરાટ કોહલી આ મેચમાં 8 બોલ રમીને ડક પર આઉટ થયો. આ પહેલીવાર હતું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં શૂન્ય પર આઉટ થયા. હવે સિરીઝનો બીજો મુકાબલો 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયા જીત માટે આખી મહેનત કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.